fbpx
Friday, October 25, 2024

હનુમાનજીના સસરા કોણ છે? બાલાજીને શા માટે કરવા પડ્યા હતા લગ્ન, જાણો રસપ્રદ વાત

આ વર્ષે હનુમાન જયંતિ 6 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ઉત્તર ભારતમાં ચૈત્ર પૂર્ણિમા પર દર વર્ષે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજીના 108 નામ છે જેમ કે બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર. દરેક નામનો અર્થ તેમના જીવનનો સાર જણાવે છે.

એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર છે. હનુમાનજી વિશેની માહિતી રામાયણ, શ્રીરામચરિતમાનસ, મહાભારત અને અન્ય ગ્રંથોમાં જોવા મળે છે. હનુમાનજીની માતા અંજનાને ભગવાન શિવે તેમના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું.

સૂર્ય દેવ પહેલા ગુરુ બન્યા પછી સસરા

બાળપણમાં હનુમાનજીને મારુતિના નામથી બોલાવતા હતા. તે સૂર્યને ફળ સમજીને ગળી જાય છે. આના પર ભગવાન ઈન્દ્રએ તેને તેના વ્રજ્ર વડે પ્રહાર કર્યો, જેનાથી તેનું જડબું તૂટી ગયું. આ ઘટના પછી મારુતિ હનુમાન તરીકે ઓળખાવા લાગ્યા બાદમાં હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા. સૂર્યદેવે તેમને નવમાંથી પાંચ વિદ્યાઓ શીખવી હતી, પરંતુ જ્યારે ચાર વિદ્યાનો વારો આવ્યો ત્યારે સૂર્યદેવે હનુમાનજીને તેમની સાથે લગ્ન કરવા કહ્યું.

કારણ કે આ શિક્ષણનું જ્ઞાન પરિણીતને જ આપી શકાતું હતું. સૂર્યદેવે તેમની પુત્રી સુવર્ચલા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હનુમાનજી અને સુવર્ચલાના લગ્ન થયા. સુવર્ચલા પરમ તપસ્વી હતા. લગ્ન પછી તે તપસ્યામાં લીન થઈ ગયા. બીજી બાજુ, હનુમાનજીએ તેમની ચાર શિક્ષા મેળવવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં લગ્ન કર્યા પછી પણ હનુમાનજીનું બ્રહ્મચર્યનું વ્રત તોડ્યું ન હતું.

હનુમાનજીની ગુરુ દક્ષિણા

આગળ, હનુમાનજીને સૂર્ય ભગવાન પાસેથી તમામ જ્ઞાન પ્રાપ્ત થયું. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી હનુમાનજીએ તેમના ગુરુ સૂર્ય નારાયણને ગુરુ દક્ષિણા માટે પ્રાર્થના કરી. હનુમાનજીના શિષ્યત્વથી પ્રસન્ન થઈને સૂર્યદેવે ગુરુ દક્ષિણામાં કંઈ ન લેવાનું કહ્યું. પરંતુ હનુમાનજીએ ફરીથી વિનંતી કરી, ત્યારે સૂર્યદેવે તેમના પીડિત પુત્ર સુગ્રીવને યાદ કર્યા અને હનુમાનજીને ગુરુ દક્ષિણાના રૂપમાં સુગ્રીવની રક્ષા અને મદદ કરવા કહ્યું. હનુમાનજીએ સૂર્યદેવનું પાલન કર્યું અને સુગ્રીવની મદદ કરવા ગયા.

તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી બીરાજે છે પત્ની સાથે

તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાની પૂજા કરવામાં આવે છે. અહીં બનેલું આ જૂનું મંદિર વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સ્થાનિક લોકો જેઠ સુદ દશમી પર હનુમાનજીના લગ્ન ઉત્સવની ઉજવણી કરે છે. જો કે ઉત્તર ભારતમાં રહેતા લોકો માટે આ આશ્ચર્યથી ઓછું નથી. કારણ કે હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles