fbpx
Thursday, October 24, 2024

આ 5 સફેદ વસ્તુઓનું પડવું બિલકુલ પણ શુભ માનવામાં આવતું નથી! એક ભૂલ મુશ્કેલીને આમંત્રણ આપી શકે છે!

હાથમાંથી જ્યારે કોઈ કિંમતી વસ્તુ પડી જાય કે પછી સરકીને તૂટી જાય ત્યારે લોકોને ખૂબ જ દુઃખ થતું હોય છે. પણ, જ્યારે કોઈ સામાન્ય વસ્તુ હાથમાંથી પડી જાય ત્યારે તેઓ તેના પ્રત્યે લક્ષ નથી આપતા. પણ, ઘણીવાર આવી સામાન્ય વસ્તુઓનું હાથમાંથી પડવું જ મોટી મુસીબતને આમંત્રણ આપી દે છે ! આજે અમારે એવી 5 સફેદ વસ્તુઓ વિશે વાત કરવી છે કે જેનું હાથમાંથી નીચે પડવું અત્યંત અ શુભ મનાય છે.

કહે છે કે આ વસ્તુઓના નીચે ઢોળાવાથી વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. ત્યારે આવો જાણીએ કે આ 5 સફેદ વસ્તુઓ કઈ છે ! અને તકેદારી રાખવા શા માટે જરૂરી છે ?

મીઠું

એક માન્યતા અનુસાર મીઠું તો ભૂલથી પણ ક્યારેય હાથમાંથી નીચે ન પડવા દેવું જોઈએ. કહે છે કે તેનાથી ઘરમાં આર્થિક તંગી આવે છે ! જો કોઇના હાથમાંથી મીઠું નીચે પડી જાય તો તેના જીવનમાં પરેશાનીઓ આવવાની શરૂઆત થઇ જાય છે. એટલું જ નહીં, ગ્રહ પણ તેને પરેશાન કરે છે ! એ જ કારણ છે કે હાથમાંથી મીઠું પડવું અશુભ માનવામાં આવે છે. વળી, કેટલાંક લોકો તો મીઠાના પડવાને આયુષ્ય સાથે પણ જોડે છે !

દૂધ

દૂધ એ સફેદ વસ્તુઓમાંથી એક અત્યંત શુભ સામગ્રી માનવામાં આવે છે. માન્યતા અનુસાર દૂધનું હાથમાંથી નીચે પડવું સંતાનના જીવનમાં પરેશાની ઊભી કરી શકે છે ! અલબત્, જો ગેસ પર દૂધ પડે એટલે કે જો દૂધ ઊભરાઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે. એ જ કારણ છે કે નવા ઘરના વાસ્તુમાં જાણી જોઈને દૂધને ઉકાળીને ઊભરાવવામાં આવે છે. અથવા તો ખીર બનાવીને નીચે પાડવામાં આવે છે.

અક્ષત

ચોખાને અક્ષત કહેવામાં આવે છે. ચોખા એ સૌથી શુભ સામગ્રી મનાય છે. જેના વિના કોઈપણ પૂજા પરિપૂર્ણ નથી મનાતી. એક માન્યતા અનુસાર ચોખા હાથમાંથી પડતા જ કે ચોખા ભરેલ વાસણ હાથમાંથી છૂટતા જ વ્યક્તિને અશુભ સમાચારના સંકેત મળવા લાગે છે ! પરંતુ, જ્યારે નવવધુ ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેના પગ વડે અક્ષતનો કળશ ઢોળવામાં આવે છે. જો કે, કેટલાક વિદ્વાનો આ પ્રથાને ખોટી જણાવે છે. કારણ કે, ચોખા અન્ન છે અને આપણી પરંપરા પ્રમાણે અન્નને પગ લગાવવું એ સારી વાત માનવમાં નથી આવતી.

ખાંડ

ખાંડ ભગવાનને પ્રસાદમાં અર્પણ કરવામાં આવે છે. કહે છે કે તે નીચે પડવાથી વ્યક્તિને અપ્રિય સમાચાર મળવાની શક્યતા રહે છે !

નારિયેળ

નારિયેળનો અંદરનો ભાગ પણ સફેદ જ હોય છે અને નારિયેળનો ઉપયોગ આપણે પૂજામાં કરીએ છીએ. નારિયેળને આપણે શ્રીફળ કહીએ છીએ. એ જ કારણ છે કે જ્યારે નારિયેળ હાથમાંથી પડી જાય તો તે શુભ નથી મનાતું. માન્યતા અનુસાર તે વ્યક્તિની પ્રગતિમાં અવરોધ આવવાનો સંકેત આપે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles