fbpx
Sunday, October 27, 2024

કાળા ચોખા તમારા બોસ સાથેના તમારા સંબંધોને સુધારશે! નોકરીમાં બઢતી અને પગાર વધારા માટે અજમાવો આ ઉપાય!

નોકરી કરનારા મોટાભાગના લોકોની એક જ ફરિયાદ હોય છે, કે તેમને તેમના કાર્યના પ્રમાણમાં વેતન નથી મળતું. એટલું જ નહીં, ગમે તેટલું કરે તો પણ બોસ સાથે તેમના સંબંધો સારા નથી રહેતા. કોઈને કોઈ મુદ્દે બનતા કામ બગડી જતા હોય છે. આ વિવાદની અસર વ્યક્તિના પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ ઉપર પણ પડે છે ! તમને કદાચ નવાઈ લાગશે પણ, જ્યોતિષ શાસ્ત્રમાં આ સમસ્યાનું પણ સમાધાન મળે છે !

કેટલાંક સરળ ઉપાયો અજમાવીને તમને આ સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. આવો, આજે તે જ સંદર્ભમાં વાત કરીએ.

આખું વર્ષ સારી કામગીરી અને ખૂબ જ મહેનત કર્યા પછી પણ જો બઢતી કે સારો વેતન વધારો ન મળે તો મન ઉદાસ થઈ જતું હોય છે. એ હદે કે વ્યક્તિનું મન જ કોઈ કાર્યમાં નથી લાગતું. એમાં પણ આજકલ મોંઘવારી એટલી છે કે, “આમદની અઠ્ઠન્ની અને ખર્ચા રુપૈયા” જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે આજે આપને કેટલાંક એવાં ઉપાયો વિશે જણાવીએ કે જે આપને નોકરીમાં બઢતી અને વેતનવૃદ્ધિના આશિષ પ્રદાન કરશે. આમ તો વર્ષ દરમિયાન ગમે ત્યારે આ ઉપાયો અજમાવી શકાય છે. પણ, તેના માટે ચૈત્ર માસ કે એપ્રિલ મહિનો સવિશેષ ફળદાયી બની રહે છે.

બોસ સાથે સુમધુર સંબંધ માટે !

⦁ નોકરીમાં પ્રમોશનની કે વેતન વધારાની કામના ત્યારે જ ફળીભૂત થતી હોય છે, કે જ્યારે તમારા બોસ સાથેના સંબંધો મધુર હોય. જ્યોતિષ શાસ્ત્રમાં આ અંગેના ઉપાયો જણાવવામાં આવ્યા છે.

⦁ ઉપરી સાથે સંબંધો સારા બને તે માટે સોમવારના દિવસે એક ખાસ ઉપાય અજમાવવો જોઈએ.

⦁ એક સફેદ વસ્ત્ર લઈ તેમાં કાળા રંગના ચોખા બાંધી દો. ત્યારબાદ આ ચોખાને માતા મહાકાળીને અર્પણ કરી દો.

⦁ કાળા ચોખા માતા મહાકાળીને અર્પણ કર્યા બાદ કોઇ ગરીબને કાળા કામળાનું દાન પણ કરવું જોઈએ.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી તમારા બોસ કે ઉપરી સાથેના તમારા સંબંધો મધુર બનશે. જેનો લાભ તમને પ્રમોશનમાં મળશે. સાથે જ વેતન વૃદ્ધિના યોગ સર્જાશે.

સારું પ્રમોશન મેળવવાનો ઉપાય !

⦁ સારા પ્રમોશન માટે નિત્ય સાત પ્રકારના અનાજ જેમ કે તલ, કાળા વટાણા, મગ, ચોખા, જવ, ઘઉં અને ચણા પક્ષીઓને ચણમાં નાંખવા જોઈએ.

⦁ આ અનાજમાં જુવાર, મકાઇનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અનાજને આપના ઘરની છત પર ન નાંખો.

⦁ આ સિવાય નોકરીમાં બઢતી માટે દર ગુરુવારે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને પીળા રંગની વસ્તુ, પીળા રંગના ફળ અથવા તો પીળા રંગના વસ્ત્ર દાન કરવા જોઇએ.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપના બોસ સાથેના આપના સંબંધો પણ સારા બનશે અને આપને કારકિર્દીમાં પ્રગતિ મેળવવાની નવીન તક પ્રાપ્ત થશે.

સરળ ઉપાયથી વેતન વૃદ્ધિના આશીર્વાદ !

⦁ નોકરીમાં સારા ઈન્ક્રીમેન્ટની અપેક્ષા ભલાં કોને નથી હોતી ? મહત્વની વાત એ છે કે સરળ ઉપાયો દ્વારા પણ તમે આ લાભની પ્રાપ્તિ કરી શકો છો.

⦁ નોકરીમાં સારા પ્રમોશન અને વેતન વૃદ્ધિ માટે નિત્ય ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. પરંતુ, આ માટે એક ખાસ વાત ધ્યાનમાં રાખો કે, જળને તાંબાના કળશમાં લઇને જ સૂર્યનારાયણને અર્પણ કરવું જોઈએ.

⦁ વેતન વૃદ્ધિ માટે રવિવાર કે મંગળવારના દિવસે એક ખાસ ઉપાય અજમાવો. વેતન વૃદ્ધિની કામના કરતાં કરતાં લાલ રંગના કાપડમાં આખું જટા સાથેનું નારિયેળ બાંધી લો. ત્યારબાદ તેને પૂર્વ દિશા તરફ વહેતા જળમાં પ્રવાહિત કરી દો.

⦁ માન્યતા અનુસાર ઉપરોક્ત ઉપાયો અજમાવવાથી વ્યક્તિને કારકિર્દીમાં પ્રગતિના યોગ તો બને જ છે. સાથે જ, સારાં ઇન્ક્રીમેન્ટના યોગ સર્જાય છે અને વ્યક્તિના વેતનમાં વધારો થાય છે.

મેળવો શનિદેવના શુભાશિષ !

⦁ જ્યારે કુંડળીમાં શનિદેવનો દુષ્પ્રભાવ હોય ત્યારે જીવનમાં પ્રગતિ કે સફળતાની તક પ્રાપ્ત નથી થતી. આ માટે શનિદોષને શાંત કરવો અત્યંત જરૂરી બની જાય છે.

⦁ શનિદોષથી મુક્તિ અર્થે શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં જવું. ત્યારબાદ તેમને આસ્થા સાથે સરસવનું તેલ અર્પણ કરવું.

⦁ શનિવારના દિવસે શનિદેવના મંત્રના જાપ કરવાથી પણ આપને શનિના દુષ્પ્રભાવમાંથી મુક્તિ મળે છે !

⦁ આ સાથે જ શનિવારે પીપળાના વૃક્ષમાં પણ જળ અર્પણ કરવું જોઈએ. અને તેની પાસે સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરી પીપળાની સાત પ્રદક્ષિણા કરવી જોઈએ.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી વ્યક્તિને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ આડે આવતા તમામ અવરોધો દૂર થાય છે. અને બઢતીની શક્યતાઓ સર્જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles