fbpx
Saturday, October 26, 2024

ભગવાન પરશુરામના જન્મોત્સવ પર થઈ રહ્યો છે વિશેષ યોગ, આ રાશિઓ પર વરસશે કૃપા

ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ થયો હતો. પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. આ વખતે પરશુરામ જન્મજયંતિના દિવસે વિશેષ યોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે. તે જ સમયે, 4 રાશિઓ પર ભગવાન વિષ્ણુની કૃપા વરસશે.

હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે પરશુરામ જન્મોત્સવ 22 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે અક્ષય તૃતીયા પણ છે. જેનું શુભ મુહૂર્ત સવારે 07.49 થી શરૂ થશે. અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર નથી.

મેષ રાશિ : તમારો સમય સારો રહેશે. વ્યવસાય સંબંધિત સંકટ દૂર થશે. કાર્યસ્થળ પર વરિષ્ઠોની યોગ્ય સલાહ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. અટકેલુ ધન પ્રાપ્ત થઈ શકે છે.

મિથુન રાશિ : જૂના રોગોથી છુટકારો મળશે. પરિવાર સાથે ફરવા જવાની તક મળી શકે છે. ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની સંભાવના છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે. રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય અત્યારે છે. કામ કરવાની ઈચ્છા વધશે.

સિંહ રાશિ : માન-સન્માનમાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. સારા સમાચાર મળી શકે છે. રચનાત્મક ક્ષમતામાં વધારો થશે. વિષ્ણુની કૃપાથી પ્રગતિ થશે.

ધન રાશિ : જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. કર્મચારીઓને પ્રમોશનની તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર સાથેના સંબંધો સુધરશે. ભગવાન વિષ્ણુની કૃપાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles