fbpx
Saturday, October 26, 2024

લવિંગ અને કપૂરના આ ઉપાયોથી ઘરમાંથી નકારાત્મકતા દૂર કરો

જ્યોતિષશાસ્ત્રએ ખૂબ જ ગાઢ વિદ્યા છે. જેમાં ગ્રહોની સાથે-સાથે વિવિધ ઉપાયોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે ઉપાયોની મદદથી તમે સમસ્યાનું નિરાકરણ કરી શકો છો. આજે અમે તમને લવિંગ અને કપૂર સાથે જોડાયેલા કેટલાંક ઉપાયો કહીંશું તેને ઘરે કરીને તમે ઘરની નકારાત્મકતાને દૂર કરી શકો છો.

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે
શનિવાર અથવા રવિવારે પાંચ લવિંગ, 3 કપૂર અને 3 મોટી ઈલાઈચી સાથે સળગાવી દો. તેમાંથી ઉત્પન્ન થતી અગ્નિને ઘરના તમામ રૂમમાં લઈ જાવો. હવે તેની રાખ ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકો. તેની રાખને પાણીમાં ભેળવીને તમે તેને ઘરના મુખ્ય દરવાજા પર પણ છાંટી શકો છો. આમ કરવાથી નકારાત્મકતા સમાપ્ત થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

પૈસાની તંગી દૂર કરો
જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી અને તમે પૈસાની અછતનો સામનો કરી રહ્યા છો, તો લવિંગના ઉપાયો તમારા માટે વધુ સારા પરિણામો લાવી શકે છે. આ માટે રાત્રે સૂતા પહેલા ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂરને એકસાથે સળગાવી દો. આ સિવાય લાલ રંગના કપડામાં 5 લવિંગ, 5 પૈસા બાંધીને મા લક્ષ્‍મીના ચરણ સ્પર્શ કરો. હવે તેને તમારી તિજોરીમાં અથવા જ્યાં પણ પૈસા રાખો ત્યાં રાખો. આમ કરવાથી ઘરમાં ધનની આશીર્વાદ થાય છે. ઘરમાં પૈસા રહેવાથી આવક વધે છે. તેના દ્વારા થયેલ દેવું પણ ચૂકવવામાં આવશે.

તણાવથી રહો દૂર
જો ઘરમાં તણાવની સ્થિતિ હોય તો દરરોજ એક જોડી લવિંગ સાથે કપૂર સળગાવવું જોઈએ. આ ધુમાડાને આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી પારિવારિક પરેશાનીઓ અને તણાવમાંથી મુક્તિ મળે છે. ઘરમાં શાંતિ સાથે પ્રેમ વધે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles