fbpx
Sunday, October 27, 2024

આજે પરશુરામ જયંતિ છે, જાણો ભગવાન પરશુરામ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

22 એપ્રિલ 2023 અક્ષય તૃતીયાનો તહેવાર છે અને આ તારીખે ભગવાન વિષ્ણુના તમામ દસ અવતારોમાં છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામની જન્મજયંતિ પણ ઉજવવામાં આવશે. હિંદુ પંચાગ મુજબ, ભગવાન પરશુરામની જન્મજયંતિ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ભગવાન પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના સંતાન છે. હિંદુ માન્યતાઓ અનુસાર, ભગવાન પરશુરામ પ્રદોષ સમયગાળા દરમિયાન પ્રગટ થયા હતા અને તેઓ 8 ચિરંજીવી પુરુષોમાંના એક છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ આજે પણ આ પૃથ્વી પર હયાત છે. પરશુરામ જયંતિ અને અખાત્રીજ પર કરવામાં આવેલ દાન ક્યારેય ક્ષીણ થતું નથી. અક્ષય તૃતીયાના દિવસે જન્મ લેવાને કારણે ભગવાન પરશુરામની શક્તિ પણ અખૂટ હતી. 8 ચિરંજીવીઓમાં મહર્ષિ વેદવ્યાસ, અશ્વત્થામા, રાજા બલી, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ઋષિ માર્કંડેય સહિત પરશુરામનો સમાવેશ થાય છે,કહેવાય છે કે તેઓ હજુ પણ આ કલયુગમાં હાજર છે.

अश्वत्थामा बलिव्यासो हनूमांश्च विभीषण:। कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन:॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्। जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।

અર્થઃ અશ્વથામા, દૈત્યરાજ બલી, વેદ વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય ઋષિનો દરરોજ સવારે જાપ કરવો જોઈએ. તેમનો જાપ કરવાથી ભક્તને સ્વસ્થ શરીર અને લાંબુ આયુષ્ય મળે છે.

રામથી પરશુરામ બનવાની વાર્તા

ભગવાન પરશુરામનો જન્મ માતા રેણુકાના ગર્ભમાંથી થયો હતો. જન્મ પછી તેના માતા-પિતાએ તેનું નામ રામ રાખ્યું. બાળ રામ બાળપણથી જ ભગવાન શિવના પ્રખર ભક્ત હતા. તે હંમેશા ભગવાનની તપસ્યામાં મગ્ન રહેતા. ત્યારે ભગવાન શિવે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને અનેક પ્રકારના શસ્ત્રો આપ્યા, જેમાં એક કુહાડી પણ હતી. કુહાડીને પરશુ પણ કહેવામાં આવે છે, આ કારણે તેનું નામ પરશુરામ પડ્યું.

ભગવાન પરશુરામે શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન પરશુરામે શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું. વાસ્તવમાં, ભગવાન કૃષ્ણ પરશુરામજીને ગુરુકુળમાં તેમના શિક્ષણ દરમિયાન મળ્યા હતા, ત્યારબાદ તેમણે ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું.

પૃથ્વીને 21 વખત ક્ષત્રિયહીન કરવામાં આવી હતી

પરશુરામ જીનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ તેમનો આ અવતાર ખૂબ જ ઉગ્ર સ્વભાવનો હતો. પોતાના માતા-પિતાના અપમાનનો બદલો લેવા માટે ભગવાન પરશુરામે 21 વખત ક્ષત્રિયોનો સંહાર કરી પૃથ્વીને ક્ષત્રિયોથી મુક્ત બનાવી દીધી હતી.આ સિવાય તેણે તેના પિતાના આદેશનું પાલન કરવા માટે તેની માતાની પણ હત્યા કરી હતી. પરંતુ માતાની હત્યા કર્યા બાદ પિતા પાસેથી વરદાન મળતાં તેણે માતાને ફરી જીવંત કરી.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles