fbpx
Monday, October 28, 2024

મહાદેવના આ મંદિરમાં શિવલિંગ પર જળ ચઢાવવાની મનાઈ છે

દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત ઋષિકેશ એક પાવન તીર્થ સ્થળ છે. અહીં જેટલા સુંદર ઘાટ સ્થાપિત છે, એટલા જ પવિત્ર મંદિર છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો અહીં ફરવા તેમજ મંદિરમાં દર્શન કરવા આવે છે. ત્યાં જ તમામ મંદિરો વચ્ચે ઋષિકેશનું એક મંદિર છે જે અંગે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

આ મંદિર પ્રસિદ્ધ હોવાનું કારણ અહીં સ્થાપિત પારાનું શિવલિંગ છે.

એક એવું શિવલિંગ જેના પર કોઈને પણ પાણી ચઢાવવાની મંજૂરી નથી. લક્ષ્‍મણ જુલા પર શ્રી સચ્ચા અખિલેશ્વર નામથી એક મંદિર સ્થાપિત છે, જ્યાં આ શિવલિંગ છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. બધા ભક્તો અહીં શિવલિંગ પર જળ નહિ ફૂલ અર્પણ કરે છે.

આ રીતે કરવામાં આવી હતી શિવલિંગની સ્થાપના

વર્ષો પહેલા મંદિરમાં 11.5 ફૂટના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે નાગ સાધુઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિશ્વના કલ્યાણ માટે શિવલિંગની સાથે પારાનું શિવલિંગ હોવું જરૂરી છે. આ કારણથી બાબા 1008 ભગતજી મહારાજે તે 11.5 ફૂટના શિવલિંગ પાસે બુધનું શિવલિંગ સ્થાપિત કરવાનું નક્કી કર્યું. તેઓ જણાવે છે કે આ શિવલિંગ નાગા સાધુઓના જ્ઞાન અને તપોબળથી પારાને મજબૂત કરીને બનાવવામાં આવ્યું હતું.

મહાપૂજા 15 દિવસમાં એકવાર થાય છે

આ પારાના શિવલિંગની ઉપર ચાંદીનો લેપ કરવામાં આવ્યો છે. શિવલિંગ પર કોઈને જળ ચઢાવવાની મંજૂરી નથી. તેમજ આ શિવલિંગની સફાઈ કરતી વખતે ઘણી કાળજી લેવામાં આવે છે. જો કે આ શિવલિંગની દરરોજ પૂજા કરવામાં આવે છે, પરંતુ અહીં 15 દિવસમાં એકવાર મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં શિવલિંગને પુષ્પોથી સુંદર રીતે શણગારવામાં આવે છે અને ઘણાં ફળો અને મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. જો તમે પણ ઋષિકેશ જવાના છો તો એકવાર આ શિવલિંગના દર્શન જરૂર કરજો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles