fbpx
Tuesday, October 29, 2024

શનિદેવને પ્રસન્ન કરવા શનિવારે કરો આ ખાસ ઉપાય, સૂતેલા ભાગ્ય જાગી જશે

હિન્દુ ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈના કોઈ દેવી દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિ મહારાજની પૂજા અર્ચના કરવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી જીવનમાં ખુશી આવે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિથી બચવા માટે લોકો શનિવારના દિવસે મંદિર જાય છે અને શનિદેવ સમક્ષ દિપક પ્રગટાવે છે.

કહેવામાં આવે છે કે શનિદેવ જાતકોને કર્મોના આધાર પર ફળ આપે છે. જો કોઈ જાતકોની કુંડળીમાં શનિની સ્થિતિ સારી નથી. કોઈ સંકટનો સામનો કરી રહ્યા છો તો શનિવારના દિવસે શનિ મહારાજની પૂજા કરો. સાથે જ શનિવારના દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયથી શનિદોષમાંથી મુક્તિ મળે છે. એવામાં ચાલો જાણીએ શનિવારના કેટલાક ઉપાય…

જો વેપારમાં ખોટ થઈ રહી હોય અથવા કોર્ટની મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા માંગતા હોય તો 11 પીપળાના પાનનો માળા બનાવીને શનિવારે શનિ મંદિરમાં ચઢાવો. માળો અર્પણ કરતી વખતે ‘ઓમ શ્રી હ્રીં શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરતા રહો. આમ કરવાથી તમને જલ્દી ફાયદો થશે.

શનિવારના દિવસે પીપળના ઝાડની આસપાસ કાચા કપાસનો દોરો સાત વાર વીંટાળવો. આ સાથે મનમાં શનિદેવનું ધ્યાન કરો. આમ કરવાથી તમારી પ્રગતિના માર્ગમાં કોઈ મુશ્કેલી નહીં આવે.

જો વિવાહિત જીવનમાંથી ખુશીઓ દૂર થઈ રહી હોય તો શનિવારે થોડા કાળા તલ લઈને પીપળના ઝાડ પાસે ચઢાવો. આમ કરવાથી તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

શનિવારે કાગડાને રોટલી ખવડાવો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ સાથે શનિ દોષથી પણ મુક્તિ મળે છે.

કાળા કૂતરાને શનિદેવનું વાહન માનવામાં આવે છે. આ સ્થિતિમાં, શનિવારે કાળા કૂતરાને રોટલી અથવા બિસ્કિટ ખવડાવો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષમાંથી મુક્તિ મળે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles