શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવી જોઈએ. આ દિવસે વ્કત કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર શુક્રવારે વ્રતથી માતા લક્ષ્મી ખૂબ જ ખુશ થઈ જાય છે. જોકે અમુક કામ એવા છે જેને આ દિવસે ન કરવા જોઈએ.
તેનાથી ધન હાનિ થાય છે. ઘરમાં તંગી આવી શકે છે.
કોઈને ન આપો ખાંડ
હિંદૂ ધર્મમાં માન્યતા છે કે શુક્રવારના દિવસે કોઈને પણ ખાંડ ન આપવી જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ કમજોર થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ શુક્ર ગ્રહના પ્રભાવથી આવે છે. શુક્ર ગ્રહ કમજોર હોવા પર સુખ-સમૃદ્ધિ નષ્ટ થઈ જાય છે. આ અશુભ છે.
ઘરને ગંદુ ન કરો
ઘરમાં સાફ-સફાઈ રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે. માન્યતા છે કે ગંદી જગ્યાઓ પર માતા લક્ષ્મી નથી જતા. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. માટે આ દિવસે ભૂલથી પણ ઘરમાં ગંદકી ન કરો. માન્યતા છે કે જે ઘરમાં ગંદકી હોય છે. ત્યાં માતા લક્ષ્મીજીનો વાસ નથી થતો.
માંસાહાર અને આલ્કોહોલનું સેવન ન કરો
શુક્રવારના દિવસે માંસાહાર ભુલથી પણ ન કરવો જોઈએ. તેના ઉપરાંત આ દિવસે આલ્કોહોલ પીવાથી પણ હચવું જોઈએ. જો સંભવ હોય તો શુક્રવારના દિવસે પૂર્ણ સાત્વિક ભોજન કરો. આ દિવસે માંસ-દારૂનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે.
અપશબ્દ ન કહો
માન્યતા છે કે શુક્રવારના દિવસે કોઈએ પણ લડાઈ ઝગડો ન કરવો જોઈએ. લોકોને અપશબ્દ ન કહેવા જોઈએ. આ દિવસે કોઈને ગાળો આપવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. તેનાથી ધન હાનિ પણ થાય છે.
ઉધાર લેવડ-દેવડ ન કરો
શુક્રવારના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કોઈ પણ પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. આ માન્યતા છે કે આ દિવસે પૈસા ઉધાર આપવા કે પછી લેવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેનાથી ધન સંપદાની હાની થઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)