Sunday, July 20, 2025

આ 5 વસ્તુઓ સવારે ઉઠતાવેંત ભૂલથી પણ ના જોતા, તમને બનાવી દેશે કંગાળ

તમે મોટાભાગે વડીલોને એવુ કહેતા સાંભળ્યા હશે કે જીવનમાં સફળતા મેળવવામાં માત્ર મહેનત જ નહીં પરંતુ નસીબનો પણ મોટો હાથ હોય છે. આ માટે તેઓ અનેક વાસ્તુ ઉપાયોનો પણ ઉલ્લેખ કરે છે. આ વાસ્તુ ઉપાયોમાંથી એક છે સવારે ઉઠ્યા પછી પણ કેટલીક વસ્તુઓ ન જોવી જોઇએ. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે ઉઠ્યા પછી તરત જ અચાનક જ 5 વસ્તુઓ જોઈ લો તો તમારો આખો દિવસ બરબાદ થવામાં વધુ સમય લાગતો નથી.

તે 5 વસ્તુઓ શું છે, ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

સવારે ઉઠતા વેંત ન જુઓ આ વસ્તુઓ

ખંડિત મૂર્તિ જોવી

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓને ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ. જો કોઈ ખંડિત મૂર્તિ રહી ગઈ હોય તો તેને કપડામાં લપેટીને પૂજા સ્થળ સિવાય ક્યાંક સુરક્ષિત જગ્યાએ રાખો. સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ એ ખંડિત મૂર્તિ ના જોવી જોઈએ. આમ કરવાથી જીવનમાં કષ્ટો વધે છે.

સવારે અરીસામાં ન જોવું

જ્યોતિષીઓના મતે, સવારે ઉઠતા વેંત જ વ્યક્તિએ અરીસામાં પોતાનું પ્રતિબિંબ ક્યારેય ન જોવું જોઈએ. આવું કરવું એ મનમાં વધતા અહંકારની નિશાની છે. સાથે જ તેનાથી બનેલા કામો બગડવા લાગે છે. એટલા માટે જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે અરીસામાં જોવાને બદલે સૌથી પહેલા પૂજા ગૃહમાં જાઓ અને ભગવાનના દર્શન કરો.

તમારા પડછાયાને જોશો નહીં

વાસ્તુ નિયમો અનુસાર, સવારે ઉઠતા વેંત જ તમારો પડછાયો જોવો એ અશુભ માનવામાં આવે છે. તે જીવનમાં અંધકાર, કોઈનું મૃત્યુ અથવા ઘરેલું વિખવાદનો સંકેત માનવામાં આવે છે. તેથી, જો તમે પણ આ ભૂલ કરો છો, તો તરત જ આ આદત છોડી દો. જો આમ કરવામાં ન આવે તો વ્યક્તિને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

બંધ ઘડિયાળને જોવી

સવારે આંખ ખોલ્યા પછી તરત જ તમારી આંખ સામે બંધ ઘડિયાળ દેખાય તો તે કોઈ અનિષ્ટની નિશાની છે. એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં એક મોટું સંકટ આવવાનું છે. તેનાથી બચવા માટે ઘડિયાળ બગડે કે તરત જ તેને રિપેર કરાવી લેવી જોઈએ. નહિંતર, ઘડિયાળ ઉતારીને મૂકી દેવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles