fbpx
Thursday, October 24, 2024

કૃષ્ણ જન્માષ્ટમી પર આ કામ કરજો બધી મનોકામનાઓ પૂર્ણ થશે

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિનાં દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો વિધિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ લાડુ ગોપાલની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે.

જન્માષ્ટમી આ વખતે 6 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

આ તહેવાર પર ચાલો જાણીએ જન્માષ્ટમીની પૂજા દરમિયાન કયા મંત્રોનો જાપ કરવાથી ભગવાન કૃષ્ણની પૂજા કરનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થશે.

સનાતન ધર્મમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધાર્મિક વિધિઓ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો જન્માષ્ટમીનું વ્રત પણ રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને તેમના મંત્રોનો જાપ કરે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક અમોઘ કહી શકાય એવા મંત્રોના જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તને ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

શ્રી કૃષ્ણ મૂલ મંત્ર

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે

ગોવલ્લભય સ્વાહા

કૃ કૃષ્ણાય નમઃ

ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. જન્માષ્ટમીના ખાસ અવસર પર તમે આ મંત્રનો જાપ કરી શકો છો જેથી ધનપ્રાપ્તિનો રસ્તો સરળ બને.

શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્ર

ઓમ દેવિકાનંદનાયા વિધામહે વાસુદેવાય ધીમહી તન્નો કૃષ્ણઃ પ્રચોદય”

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles