fbpx
Friday, October 25, 2024

મંગળવારે કરો લીંબુનો આ ખાસ ઉપાય, દુર થશે કષ્ટ, હનુમાન વરસાવશે આશીર્વાદ.

મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીને સમર્પિત છે. માન્યતા છે કે મંગળવારના દિવસે લીંબૂના ટોટકા કરવાથી બધા બગડેલા કામ બનવા  લાગે છે. એવામાં આજે અમે તમને મંગળવારના દિવસે લીંબૂથી કરવામાં આવતા કેટલાક ઉપાય અને ટોટકા જણાવવા જઇ રહ્યા છીએ. 

માન્યતા છે કે મંગળવારના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી તમામ કષ્ટોનું સમાધાન થાય છે. હનુમાનજી બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા છે. તેમની પૂજા કરવાથી બળની સાથે બુદ્ધિ પણ મળે છે. હનુમાનજી, બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા છે. 

હનુમાનજીની પૂજા કરવાથી બળની સાથે બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. જો તમારું ભાગ્ય તમારો સાથે આપી રહ્યું નથી અને તમારા બનેલા કામ વારંવાર બગડી રહ્યા છે તો મંગળવારે નીચે આપેલા ઉપાયો અવશ્ય કરો. તેનાથી તમારું બગડેલું કામ સફળ થશે.

લીંબુ અને લવિંગના ઉપાયો માન્યતાઓ અનુસાર, મંગળવારે લીંબુનું ઝાડ ઉગાવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. તેમજ નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. પરંતુ લીંબુનું ઝાડ ઘરની અંદર ક્યારેય ન લગાવવું જોઈએ, તેને હંમેશા બહાર લગાવવું જોઈએ.

જો તમારા વ્યવસાયને વારંવાર બુરી નજરનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારી દુકાન અથવા ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને લીલા મરચાં લટકાવી દો. આમ કરવાથી ખરાબ નજરથી રાહત મળે છે.

જો તમને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો તમારે મંગળવારે એક લીંબુ અને 4 લવિંગ લઈને હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ. ત્યાં જઈને હનુમાનજીની સામે લીંબુ પર લવિંગ મૂકો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી તમને સફળતા મળવા લાગશે.

ભૂખ્યાને ભોજન આપવું એ પુણ્યનું કાર્ય છે. મંગળવારે કોઈ ભિખારીને ભોજન કરાવો. આ સિવાય જો તમને કોઈ વાનર કે ગાય દેખાય તો તેને પણ ખવડાવો. તેનાથી હનુમાનજી પ્રસન્ન થશે

મંગળવારે વ્રત રાખવું પણ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, એવું કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી તમામ ખરાબ કામો પૂર્ણ થવા લાગે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles