જ્યોતિષશાસ્ત્રમાં ઝાડ અને છોડને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. કેટલાક વૃક્ષો અને છોડ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો કેટલાક છોડના ફુલ ભગવાનને ખૂબ પ્રિય હોવાનુ માનવામાં આવે છે અને દેવી-દેવતાને પ્રસન્ન કરવા લોકો તેમના પ્રિય ફૂલ તેમને અર્પણ કરવામાં આવે છે. આગામી 15 ઓક્ટોબરથી શરદીય નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.
આ દરમ્યાન માતાને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા અને વ્રત ઉપવાસ પણ કરતા હોય છે અને માતાના આશિર્વાદ મેળવતા હોય છે.
નવરાત્રીની પૂજા દરમ્યાન વિવિધ ફૂલો માં દુર્ગાને અર્પણ કરવામાં આવે છે, તેમાંનું જ એક ફૂલ છે જાસૂદનું ફૂલ. કહેવાય છે કે માતાજીને આ લાલ રંગના જાસૂદના ફૂલ ખૂબ જ પ્રિય છે અને તેના વિના માતાની પૂજા અધૂરી માનવામાં આવે છે. આજે જાણીશું કે શા માટે માં દુર્ગાને લાલ જાસૂદ પ્રિય છે અને નવદુર્ગાને કયા ફૂલ અર્પણ કરવા જોઈએ.
આ કારણે માં દુર્ગાને પ્રિય છે લાલ જાસૂદ
દુર્ગા સપ્તશતીની અંદર માં દુર્ગાના સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં લાલ જાસૂદના ફૂલનું પણ વર્ણન છે. આ કારણે માનવામાં આવે છે કે માતાજીને લાલ જાસૂદનુ ફૂલ ખૂબ પ્રિય છે. લાલ રંગને સૌભાગ્ય, શક્તિ, સાહસ અને પરાક્રમનું પ્રતીક માનવામાં આવે છે. માં દુર્ગા આદિશક્તિ છે, તેથી તેમને લાલ રંગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, જેમ કે લાલ રંગની ચૂંદડી, લાલ રંગની સાડી, લાલ રંગના ફૂલો વગેરે.
માં દુર્ગાને આ મંત્ર સાથે કરો ફૂલ અર્પણ
નવરાત્રિમાં જ્યારે તમે માં દુર્ગાની પૂજા કરો અને તેમને લાલ જાસૂદનુ ફૂલ અર્પણ કરો તો આ મંત્રનો જાપ કરો.
ઓમ મહિષધ્ની મહામાયે ચામુંડે મુંડમાલિની
આયુરારોગ્યવિજયં દંહિ દેવી નમોઃસ્તુતે
એષ સચંદન ગંધ પુષ્પ બિલ્વ પત્રાંજલી ઓમ હ્રીં દુર્ગાયે નમઃ
જાસૂના ફૂલના જ્યોતિષી ઉપાય
1. ભય મુક્તિ અને શક્તિ માટે
નવરાત્રિમાં તમે બપોરના સમયે એક લાલ જાસૂદ માં કાલીને અર્પણ કરો. આવું કરવાથી કાલી માં તમારા ઉપર પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમાર તમામ ભય દૂર થશે. માં કાલીના પ્રભાવથી નકારાત્મક શક્તિઓનો અંત આવે છે.
કાર્યમાં સફળતા અને રક્ષા માટે
નવરાત્રિમાં પૂજા દરમ્યાન માં કાલીને લાલ જાસૂદના ફૂલોની માળા અર્પણ કરો. ત્યારબાદ કુંજિકા સ્તોત્રના મંત્રનો 11 હજાર વાર જાપ કરો. તેમના આશીર્વાદથી કાર્ય સફળ થશે અને તમારી તમામ પરેશાનીઓ દૂર થશે.
મંગળ દોષ દૂર કરવા
નવરાત્રિમાં મંગળવારે માં દુર્ગાને લાલ જાસૂદ અર્પણ કરો. તેનાથી કુંડળીનો મંગળ દોષ દૂર થાય છે. નવરાત્રિ સિવાય પણ દર મંગળવારે હનુમાનજીને આ ફૂલ ચઢાવવાથી પણ મંગળ દોષમાંથી મુક્તિ મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)