fbpx
Sunday, October 27, 2024

શુક્રવારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો માતા લક્ષ્મી નારાજ થઈ જશે

જે પ્રકારે સપ્તાહના દરેક દિવસ કોઈના કોઈ દેવતાઓને સમર્પિત હોય છે, એજ રીતે શુક્રવારનો દિવસ દેવી લક્ષ્‍મીને સમર્પિત છે. આ દિવસે માતા લક્ષ્‍મીની પૂજાનું વિધાન છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરવા અને કૃપા મેળવવા વ્રત રાખવામાં આવે છે અને વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્‍મી ધનની દેવી છે. એમની કૃપાથી વ્યક્તિને ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

કહેવામાં આવે છે કે જે લોકો પર માતા લક્ષ્‍મીની કૃપા થાય છે, એમના જીવનમાં ક્યારે પણ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે શુક્રવારે માતા લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો કરવામાં આવ્યા છે જેને શુક્રવારના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ આ કયા કાર્યો છે.

ઘર સાફ રાખો

માતા લક્ષ્‍મીને સ્વચ્છતા ગમે છે, લક્ષ્‍મી ક્યારેય એવા ઘરમાં પ્રવેશતી નથી જ્યાં ગંદકી હોય. તેથી તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. ખાસ કરીને શુક્રવારે આનું ધ્યાન રાખો.

ઉધાર લેવડદેવડ ટાળો

શુક્રવારે કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૈસા ઉધાર આપવા અથવા લેવાથી દેવી લક્ષ્‍મી નારાજ થાય છે. આમ કરવાથી ધનહાનિ થઈ શકે છે.

કોઈને ખાંડ ન આપો

શાસ્ત્રો અનુસાર શુક્રવારના દિવસે કોઈને ખાંડ ઉછીની ન આપવી જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ નબળો પડી જાય છે અને ઘરમાં દરિદ્રતા રહે છે.

માંસ અને આલ્કોહોલનું સેવન ટાળો

શુક્રવારે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. શુક્રવારે માંસ અને દારૂનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે. તેથી આ દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન જ ખાવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles