fbpx
Tuesday, October 29, 2024

આ રીતે ભગવાન ગણેશ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરશે, ફક્ત આ ત્રણ બાબતોનું ધ્યાન રાખો

ભગવાન ગણેશ માત્ર દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય નથી. ગણેશજી વિઘ્નોનો નાશ કરનાર અને બુદ્ધિ આપનાર પણ છે. તેમની કૃપાથી ઘરના તમામ વાસ્તુ દોષોનો નાશ થાય છે. ઘરના મુખ્ય દ્વાર, પૂજા સ્થાન, રસોડું અને કાર્યસ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ લગાવવાથી વાસ્તુ દોષનો નાશ થઈ શકે છે. ફક્ત તેમના ચોક્કસ ઉપયોગોને સમજવાની જરૂર છે. આવો જાણીએ આ પવિત્ર દિવસોમાં ભગવાન ગણેશના કેટલાક ખાસ પ્રયોગો.

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ભગવાન ગણેશની વિવિધ રંગીન મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગોની અલગ-અલગ મૂર્તિઓ ઘરની ખાસ જગ્યાઓ પર રાખવાથી વાસ્તુ દોષનો નાશ થાય છે. કહેવાય છે કે વાસ્તુ અનુસાર ગજાનનની મૂર્તિને યોગ્ય દિશામાં રાખવાથી તમામ સમસ્યાઓ અને દોષોનો નાશ થાય છે.

ગણેશજી કેવી રીતે દૂર કરશે વાસ્તુ દોષ?

બાળકોના સ્ટડી રૂમ અથવા રીડિંગ ટેબલમાં પીળા કે આછા લીલા રંગની ગણેશ મૂર્તિ મૂકો. ભગવાન ગણેશની વધુ પડતી મૂર્તિઓ એકઠી ન કરો. પૂજા સ્થાન પર ભગવાન ગણેશની પીળા રંગની મૂર્તિ મૂકો. જો ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય તો તિજોરી કે પૈસાની જગ્યાએ સફેદ રંગની ગણપતિની મૂર્તિ રાખો.

યાદ રાખો કે ઘર માં બેઠા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી અને ઓફિસમાં ઊભા ગણેશજી ની મુર્તિ ને રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. દરરોજ સવારે પૂજા સમયે ભગવાન ગણેશને જળ અર્પિત કરો અને ભગવાન ગણેશની મૂર્તિને ઘરના મુખ્ય દ્વારની અંદર રાખો. એક જગ્યાએ એક જ મૂર્તિ રાખો. બેડરૂમમાં ભગવાનની મૂર્તિ બિલકુલ ન રાખવી.

પ્રતિમાને આ દિશામાં રાખો

ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ગણપતિની સ્થાપના કરવી સૌથી વધુ શુભ છે. પૂજા માટે ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો શ્રેષ્ઠ છે. તમે ભગવાન ગણેશને ઘરની પૂર્વ કે પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો. મૂર્તિ મૂકતી વખતે ધ્યાન રાખવું કે ભગવાનના બંને પગ જમીનને સ્પર્શતા હોય. આનાથી સફળતા તમારા પગ ચૂમશે. ભગવાન ગણેશને ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય ન રાખવા જોઈએ. ઘર માં જે જગ્યા એ પૂજાઘર હોય તેની કોઈપણ બાજુએ શૌચાલય કે કોઈ ગંદકી ન હોવી જોઈએ.

ભગવાન ગણેશની સ્થાપના માટેના નિયમો

ઘરમાં ભગવાન ગણેશની વધુ પડતી મૂર્તિઓ ન રાખો. પૂજા સ્થાન પર ક્યારેય પણ ભગવાન ગણેશની ત્રણ મૂર્તિઓ એકસાથે ન રાખવી. ભગવાન ગણેશની એ જ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરો, જેમાં તેમની ડાબી બાજુએ સૂંઢ હોય. મૂર્તિની ઊંચાઈ બાર આંગળીઓથી વધુ ન હોય તો સારું રહેશે. પીળા રંગના ગણપતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન ગણેશને ક્યારેય તુલસી ન ચઢાવો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles