fbpx
Sunday, October 27, 2024

નાગરવેલના પાન વડે મા દુર્ગાને પ્રસન્ન કરો, માતાજી તમારા પર અપાર આશીર્વાદ વરસાવશે

15 ઓક્ટોબર રવિવારથી શારદીય નવરાત્રિનું આગમન થઈ રહ્યું છે, જેમાં આ 9 દિવસોમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા તહેવારમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને આવવા જઈ રહી છે જેને સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ભક્તો 9 અલગ-અલગ દિવસોમાં મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે જેથી મા દુર્ગા પ્રસન્ન રહે અને તેમના આશીર્વાદ આપે.

જાણો કેવી રીતે આપણે નાગરવેલના પાનની મદદથી દેવી દુર્ગાને પ્રસન્ન કરી શકીએ છીએ.

નવરાત્રિ દરમિયાન, ભક્તોએ સતત 5 દિવસ સુધી નાગરવેલના પાંદડા પર મા દુર્ગાનો મંત્ર લખવો જોઈએ અને ‘ॐ हिम् क्लीम चामुंडाय विच्चे नमः ‘ લખીને માતાને અર્પણ કરવો જોઈએ. પછી નવમીના દિવસે પાન ઉપાડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો.

વ્યવસાય અને નોકરીમાં સફળતા મળશે

જો કોઈ વ્યક્તિને નોકરી કે વ્યવસાયમાં સફળતા ન મળી રહી હોય તો તેણે નવરાત્રિ દરમિયાન દરરોજ સાંજે મા દુર્ગાને પાન અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી સફળતા મળશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો નવરાત્રિ દરમિયાન સતત 9 દિવસ સુધી મા દુર્ગાને કેસરની સાથે નાગરવેલના પાનનો અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી સમગ્ર વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે.

જો કોઈ વ્યક્તિને કોઈપણ ક્ષેત્રમાં સફળતા જોઈતી હોય તો તેણે નવરાત્રિ દરમિયાન નાગરવેલના પાનની બંને બાજુ સરસવનું તેલ લગાવવું જોઈએ અને સાંજે તે મા દુર્ગાને અર્પણ કરવું જોઈએ. નવરાત્રિના અંતિમ દિવસે આ પાન લઈને મા દુર્ગાના મંદિરની પાછળ રાખવા જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles