fbpx
Thursday, October 24, 2024

નવરાત્રિનો 5મો દિવસ સ્કંદમાતાને સમર્પિત છે, જાણો તેનું મહત્વ

નવરાત્રીનો તહેવાર માં દુર્ગાને સમર્પિત છે. નવરાત્રીના આ 9 દિવસોમાં માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે નવરાત્રિના 5મો દિવસ 19 ઓક્ટોબરે આવી રહ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર, માં દુર્ગાના સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. દેવી સ્કંદમાતાનું ધ્યાન ધરવાથી ભક્તોને ધ્યાન અને ધાર્મિક પ્રગતિનો અનુભવ થાય છે.

સ્કંદનો અર્થ

સ્કંદ એટલે જ્ઞાનને વ્યવહારમાં લાવીને કર્મ કરવું. સ્કંદમાતા ઊર્જાનું એ સ્વરૂપ છે, જેની ઉપાસનાથી જ્ઞાનને વ્યવહારિકતામાં લાવીને પવિત્ર કર્મનો આધાર બનાવી શકાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો સમન્વય છે. જ્યારે શિવ તત્વનું મિલન ત્રિશક્તિ સાથે થાય છે, ત્યારે સ્કંદ ‘કાર્તિકેય’નો જન્મ થાય છે.

માતાની કૃપાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ

માં સ્કંદમાતા તેમના ભક્તો પર પુત્રની જેમ પ્રેમ વરસાવે છે. સ્કંદમાતાનું સ્મરણ કરવાથી બધા અસંભવ કર્યો શક્ય બને છે. માં સ્કંદમાતાની કૃપાથી સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે.

માં સ્કંદમાતાનું સ્વરૂપ

સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન છે, જેથી તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે. માં સ્કંદમાતાને ધાર્મિક ગ્રંથોમાં સૂર્યમંડળની અધિષ્ઠાત્રિ દેવી માનવામાં આવે છે. માં સ્કંદમાતાને પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે.

આ રીતે કરો માતા સ્કંદમાતાની પૂજા

નવરાત્રિના 5મા દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને દેવીનું ધ્યાન ધરો. સ્કંદમાતાની મૂર્તિ અથવા ફોટાને ગંગા જળથી શુદ્ધ કરો. ત્યારબાદ માતાને કંકુ, ચોખા, ફૂલ, ફળ અર્પણ કરો. સ્કંદમાતાને મીઠાઈ અને 5 પ્રકારના ફળ અર્પણ કરો. હવે માતાનું ધ્યાન કરો. માતા સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને સાચી ભાવનાથી માતાની પૂજા અને આરતી કરો. કથા વાંચ્યા પછી અને અંતે સ્કંદમાતાના મંત્રોનો જાપ કરો.

પૂજા પદ્ધતિ

સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. હવે માં સ્કંદમાતાની મૂર્તિને ગંગા જળથી શુદ્ધ કરો. પછી માંને તેનું મનપસંદ ફૂલ અર્પણ કરો. માંને રોલી કુમકુમ ચઢાવો. હવે સ્કંદમાતાનું ધ્યાન કરો અને ત્યારબાદ મંત્રનો જાપ કરો. હવે માતાની કથા વાંચો અને આરતી કરો.

સ્કંદમાતાનો પ્રસાદ

સ્કંદમાતાને કેળા ખૂબ જ પ્રિય છે. તેમજ તમે માતાને ખીરનો પ્રસાદ પણ ચઢાવી શકો છો.

માં સ્કંદમાતાનો મંત્ર

યા દેવી સર્વભૂતેષુ માં સ્કંદમાતા રૂપેણ સંસ્થિતા.

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈનમો નામ:

સફેદ રંગના પહેરો વસ્ત્રો

નવરાત્રીના પાંચમા દિવસે સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. કારણ કે માતાને સફેદ વસ્ત્રો અતિ પ્રિય છે અને સફેદ રંગ શાંતિપ્રિય માનવામાં આવે છે. ત્યારે નવરાત્રીના પાંચમા દિવસે સ્કન્દમાતાને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્રો પહેરો અને વિધિવત પૂજા કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles