fbpx
Saturday, October 26, 2024

આ નાનકડા ઉપાયથી શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ઓછો થશે

ગ્રહોની બદલાતી ચાલથી વ્યક્તિને શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામો ભોગવવા પડી શકે છે. તેવામાં જે રાશિઓ પર શનિ દેવની સાડાસાતી કે ઢૈય્યાનો પ્રભાવ રહે છે. તેમને જીવનમાં કષ્ટ ભોગવવા પડે છે. શનિદેવના ખરાબ પ્રભાવને ઓછો કરવા માટે ભોળનાથ અને હનુમાનજીની ઉપાસના શુભ માનવામાં આવે છે. તેવામાં કેટલીક અન્ય રીતોથી પણ શનિદેવની કૃપા મેળવી શકાય છે અને તેમના દુષ્પ્રભાવોને ઓછા કરી શકાય છે.

ચાલો જાણીએ એક આવા જ ઉપાય વિશે જેને કરવાથી શનિની સાડાસાતી કે ઢૈય્યાનો પ્રભાવ ઓછો કરી શકાય છે.

શનિના ઉપાય

મંગળવાર કે શનિવારના દિવસે વિશેષ રૂપે શમીના છોડની પૂજા કરવામાં આવે છે. શમીના છોડમાં શનિદેવનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી જો તમારા જીવનના કષ્ટોને દૂર કરવા માંગતા હોય તો શનિવારના દિવસે શમીના છોડમાં જળ અર્પણ કરો. તેથી જો તમારી રાશિ મકર, કુંભ કે મીન હોય તો તમે દરરોજ શમીના છોડની પૂજા કરવાનો પ્રયાસ કરવો જોઇએ. શમીના છોડની પૂજા કરવાથી શનિ ગ્રહ મજબૂત કરવામાં મદદ મળે છે. તેવામાં શનિ દેવના અશુભ પ્રભાવોથી બચવા માટે સંધ્યા સમયે શમીના છોડની નીચે સરસિયાના તેલમાં કાળા તલ મિક્સ કરીને દીવો પ્રગટાવો.

જીવનમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે સોમવારના દિવસે શિવલિંગ પર શમીના પાન ચડાવવા જોઇએ. જો ઘણા પ્રયાસો બાદ પણ નાના-નાના કામ નથી થઇ રહ્યાં તો શિવલિંગ પર શમીના પાન ચડાવતી વખતે શમીના મંત્રનું ઉચ્ચારણ કરો. શમી મંત્ર – અમંગલાનાં ચ શમનીં શમનીં દુષ્કૃતસ્ય | દુ:સ્વપ્રનાશિનીં ધન્યા પ્રપદ્યેહં શમીં શુભામ્||

શમીના છોડના ફાયદા

શનિદેવને પ્રસન્ન કરવાના તમામ ઉપાયોમાં શમીના છોડ સાથે સંબંધિત ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી શનિની સ્થિતિ શુભ અને બળવાન બને છે. શમીના છોડને શનિદેવનો છોડ કહેવામાં આવે છે. શનિવારે શનિના છોડની પૂજા કરવાથી કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પણ સુધરે છે. શનિવારના દિવસે નિર્ધારિત રીતે શનિદેવની પૂજા કરવી જોઈએ. આ માટે આ દિવસે શમીના છોડના મૂળમાં જળ અર્પિત કરીને શનિદેવની પૂજા કરવી જોઈએ. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

શમીના છોડનો સંબંધ પણ ભગવાન શિવ સાથે છે. ભોલેનાથ પણ આ છોડને પ્રેમ કરે છે. શનિવારે શમીના છોડની પૂજા કરવાથી શિવ અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે તો શનિવારે તમારા ઘરમાં શમીનો છોડ લગાવો. તમે તેને મુખ્ય દરવાજાની જમણી બાજુએ પણ મૂકી શકો છો. એવું કહેવાય છે કે શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવવાથી આર્થિક લાભની શક્યતાઓ રહે છે.

શનિવારે શમીના છોડની નિયત રીતે પૂજા કરવી જોઈએ અને તેની સાથે પાંચ પાંદડા તોડીને ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ. આ પછી તેને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી પર્સમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે. શનિવારે શમીના છોડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી શનિદેવની સાથે લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનનું આગમન થાય છે.

શનિવારે સવારે ઉઠીને સ્નાન કરીને શમીના ઝાડના મૂળમાં એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો અર્પિત કરો. આમ કરવાથી આર્થિક તંગીમાંથી રાહત મળે છે. આ છોડના મૂળમાં કાળા અડદની દાળ ચઢાવવાથી દેવાથી રાહત મળે છે. આ સાથે શનિની સાડા સતી અને ઢૈય્યાથી પણ મુક્તિ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles