આપણા ઘરોમાં થવા વાળી પૂજામાં ફૂલોનું ખુબ મહત્વ છે. ઘરમાં દરેક શુભ કામોમાં ફૂલોનો ઉપયોગ થાય છે. આપણે એ પણ જોયું હશે કે પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતા ફૂલોને જલ્દી હટાવવામાં આવતા નથી. પરંતુ શું તમે જાણો છો કે આવું ન કરવું કેટલું ખરાબ સાબિત થઇ શકે છે? ઘરમાં રાખેલા સૂકા ફૂલથી વાસ્તુ દોષ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જયારે ફૂલ સુકાઈ જાય તો એને તાત્કાલિક ઘરથી બહાર રાખી દેવું જોઈએ.
ઘરમાં સૂકા ફૂલ રાખવાથી ખરાબ શક્તિઓ પ્રવેશ કરે છે.
સૂકા ફૂલ મૃતદેહ સમાન
ઘરમાં સૂકા ફૂલ કોઈ મૃતદેહ સમાન હોય છે. જે રીતે ઘરમાં શવ રાખવામાં આવતું નથી, એવી જ રીતે સૂકા ફૂલ પણ નહિ રાખવા જોઈએ. સુપ્રસિદ્ધ તંત્ર ગ્રંથ મંત્ર મહારણવમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનને ચઢાવેલા ફૂલ તરત જ શુદ્ધ થઈ જાય છે. વધુમાં નિર્માલયોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અન્યથા ચંદલી, ચંદાંશુ અને વિશ્વક્ષેના જેવી નકારાત્મક શક્તિઓ આવવાની વાત કહેવામાં આવી છે. પરિણામે, ત્યાં સૂકા ફૂલો નિષેધ કરવામાં આવ્યા છે.
તાજા ફૂલો જ ઘરમાં રાખો
ઘરમાં હંમેશા તાજા ફૂલ રાખવા જોઈએ. જે ઘરમાં તાજા ફૂલ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ત્યાં જ તાજા ફૂલ અદભુત રીતે ઉર્જાનું સર્જન કરે છે. એના દ્વારા ઉત્પન્ન થતી પોઝીટીવલી ચાર્ટડ હોય છે. ચીની વાસ્તુ શાસ્ત્રમાં આ યાંગ એનર્જીના નામથી ઓળખાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)