fbpx
Saturday, October 26, 2024

દિવાળીના એક દિવસ પહેલા કરો આ ખાસ ઉપાય, ઘરમાં થશે અપાર ધનનો વરસાદ

હિંદુ ધર્મના તમામ તહેવારોમાં દિવાળીને સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જે દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળી 12મી નવેમ્બરે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો દિવાળીના એક દિવસ પહેલા કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો ઘરમાં ધનનો ભંડાર રહેશે અને વ્યક્તિને સમસ્યાઓથી મુક્તિ મળશે.

તો આજે આ લેખ દ્વારા અમે તમને દિવાળી સંબંધિત સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો દિવાળી પહેલા ઘરની સફાઈ કર્યા પછી આખા ઘરમાં મીઠું નાખેલ પાણીથી પોતા કરવામાં આવે તો તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને ચારે તરફ સકારાત્મકતાનો ફેલાવો થવા લાગે છે. આ સિવાય જો દિવાળી પહેલા ઘરની પશ્ચિમ દિવાલ પર કોઈ ગામનું ચિત્ર લગાવવામાં આવે તો આવકમાં વધારો થવાની સંભાવના રહે છે.

આ સિવાય દિવાળીના એક દિવસ પહેલા ઘરની દક્ષિણ દિશામાં દોડતા ઘોડાનું ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કરિયરમાં વૃદ્ધિ થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. દિવાળી પહેલા કોઈ ભગવાનની મૂર્તિ ઘરે લાવો અને તેને પૂજા સ્થાન પર સ્થાપિત કરો અને તેની પૂજા યોગ્ય રીતે કરો. આવું કરવાથી શુભ જળવાઈ રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles