fbpx
Saturday, October 26, 2024

રવિવારે ભૂલથી પણ ન કરો આ કાર્ય, સૂર્યદેવ થશે કોપાયમાન

રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો હોવાથી આજના દિવસે સૂર્યદેવની પૂજા કરવું ખુબ જ શુભ કરી માનવામાં આવે છે. કહેવામાં આવે છેઆ દિવસે કેટલાક ઉપાય કરવાથી શ્રદ્ધાળુઓ પર સૂર્યદેવની કૃપા વરસે છે. ત્યાં જ કેટલાક કાર્ય એવા છે જેને રવિવારે ભૂલથી પણ ન કરવું જોઈએ.

આવું કરવાથી મનુષ્યએ દરેક કષ્ટો ઉઠાવવા પડે છે.

રવિવારે મીઠું ન ખાવું જોઈએ

ઘણા લોકો કહે છે કે રવિવારે મીઠું ન ખાવું જોઈએ. આ વાતને કહેવા પાછળ શું કારણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે મીઠું ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવું કરવાથી વ્યક્તિને દરેક કામમાં અડચણ આવે છે. એટલું જ નહિ આ દિવસે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું જરૂરી માનવામાં આવે છે. આવું ન કરવા પર નુકસાન સહન કરવું પડી શકે છે.

માસ મદિરાનું ન કરો સેવન

રવિવારના દિવસે માસ મદિરાનું સેવન એકદમ નહિ કરવું જોઈએ. આવું કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ કમજોર થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઇ જાય છે. જેનાથી ન માત્ર ધનસંપત્તિ બરબાદ નથી થતી પરંતુ અનેક રોગો પણ શરીરને ઘેરી લે છે.

આ રંગોના કપડાં ન પહેરો

રવિવારના દિવસે વાળ કાપવા પણ વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂર્ય નબળો પડી જાય છે. આ દિવસે કાળા, વાદળી, ભૂરા કે બ્લુ રંગના કપડાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે.

આ વસ્તુઓ વહેંચવી નહિ

ધાર્મિક વિદ્વાનો અનુસાર, રવિવારના દિવસે તાંબાથી બનેલી અથવા સૂર્ય ભગવાન સાથે સંબંધિત કોઈ વસ્તુ ન વેચવી જોઈએ. આવી ક્રિયાઓને કારણે અશુભ શક્તિઓ સક્રિય થઈ જાય છે. એટલું જ નહીં રવિવારના દિવસે ઉત્તર-પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. જો તમારે આ દિશાઓમાં જવું પડતું હોય તો પણ તમારે ઘી કે દાળ ખાઈને જ ઘરની બહાર નીકળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles