fbpx
Sunday, October 27, 2024

નવા વર્ષ પહેલા ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ, માતા લક્ષ્મીની થશે કૃપા

ડિસેમ્બર મહિનો શરુ થઇ ચુક્યો છે અને હવે થોડા જ દિવસોમાં વર્ષ 2024 શરૂ થવા જઈ રહ્યું છે. નવું વર્ષ પોતાની સાથે નવી આશાઓ લઈને આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું નવું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે. નવા વર્ષમાં માતા લક્ષ્‍મીની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે. નવા વર્ષ પહેલાં લોકો પોતાના ઘરમાં દેવી લક્ષ્‍મીના આગમન માટે ખાસ તૈયારીઓ કરે છે.

માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી કે કચરો હોય, ત્યાં દેવી લક્ષ્‍મીનો વાસ ક્યારેય થતો નથી. તેમજ ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે, જેના કારણે દેવી લક્ષ્‍મીની કૃપા નથી રહેતી. તેથી વર્ષ 2024 શરુ થાય તે પહેલાં અહીં જણાવેલી વસ્તુઓને તમારા ઘરમાંથી કાઢી નાંખો.

2024 પહેલાં તમારા ઘરમાંથી દૂર કરો આ વસ્તુઓ

– જો તમારા ઘરમાં કોઈ તૂટેલી અથવા બંધ ઘડિયાળ હોય તો નવું વર્ષ આવે તે પહેલાં તેને ઘરમાંથી કાઢી નાંખો. વાસ્તુ અનુસાર, ઘરમાં બંધ ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. નવા વર્ષની શરૂઆત શુભ વસ્તુઓથી કરવી જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્‍મીની કૃપા રહે છે.

– જો તમારા ઘરમાં ટેબલ, સોફા કે ખુરશી જેવું કોઈ તૂટેલું ફર્નિચર લાંબા સમયથી હોય, તો નવું વર્ષ આવે તે પહેલાં તેને ઘરમાંથી કાઢી નાંખો. માનવામાં આવે છે કે ખરાબ ફર્નિચરને લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય આવે છે. પરિણામે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તેથી ઘરનું ફર્નિચર હંમેશા સાજુ એટલે કે તૂટેલું ન હોવું જોઈએ.

– જો ઘરમાં કોઈ જૂનું તૂટેલું વાસણ પડ્યું હોય, તો નવા વર્ષની શરૂઆત પહેલાં તેને ઘરમાંથી કાઢી નાંખો. તૂટેલા વાસણો ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે તૂટેલા વાસણો ઘરમાં હંમેશા દુર્ભાગ્ય લાવે છે.

– ભગવાનની તૂટેલી મૂર્તિઓ કે ફાટેલી તસવીરો ઘરમાં ન રાખવી જોઈએ. તૂટેલી મૂર્તિ કે ફાટેલી તસ્વીર ઘરમાં રાખવામાં આવે તો તે દુર્ભાગ્યનું કારણ બને છે. તેથી નવું વર્ષ શરુ થાય તે પહેલાં તેને ઘરની બહાર કાઢીને મંદિરમાં મૂકી આવો અને ઘરમાં ભગવાનની નવી મૂર્તિ કે તસ્વીરની સ્થાપના કરો.

– જો તમારા ઘરની બારી કે દરવાજાનો કાચ તૂટી ગયો હોય, તો તેને તરત જ કાઢી નાંખો અથવા તેના બદલે નવો કાચ નાંખો. ઘરમાં તૂટેલા કાચ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તૂટેલો કાચ હોય તો તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

– જો તમારા ઘરમાં ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડ, બલ્બ કે ટ્યુબલાઈટ ખરાબ થઈ ગઈ હોય, તો નવા વર્ષ પહેલાં તેને બદલી નાંખો. તમારા ઘરમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકારનો ચાલુ કન્ડિશનમાં હોવા જરૂરી છે. આ વસ્તુઓ બગડવાથી ઘરમાં અંધકાર છવાય છે, જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે.

– વર્ષ 2024 શરુ થાય તે પહેલાં તમારે તમારા ઘરમાં રહેલા જૂના કે તૂટેલા બુટ કે ચંપલને ફેંકી દેવા જોઈએ. ઘટમાં તૂટેલા બુટ-ચંપલ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નવું વર્ષ શરુ થાય તે પહેલાં ઘરમાંથી તમારે ઉપર જણાવેલી તમામ વસ્તુઓને કાઢી નાંખવી જોઈએ, જેથી તમારા ઘરમાં માતા લક્ષ્‍મીનો વાસ અને કૃપા રહે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles