fbpx
Saturday, October 26, 2024

શુક્રવારે કરો આ ઉપાય, દૂર થશે આર્થિક સંકટ

સપ્તાહના 7 દિવસ કોઈના કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જે રીતે આપણે બધા સોમવારે શંકર ભગવાન, મંગળવારે બજરંગબલીની પૂજા કરીએ છે, એજ રીતે શુક્રવારના દિવસે માતા લક્ષ્‍મીની પૂજા કરવામાં આવે છે. ધનની દેવી માતા લક્ષ્‍મીની પૂજા નિયમો અનુસાર કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ હંમેશા બનાવી રાખે છે. જો તમે વિધિ વિધાનથી માતા લક્ષ્‍મીની પૂજા કરો છો તો સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય, ઈચ્છીત ફળની પ્રાપ્તિ થાય છે.

ઘણા દિવસથી આર્થિક તંગીથી પરેશાન છો, કોઈ કામ નથી થઇ રહ્યું તો માતા લક્ષ્‍મીની કૃપા મેળવવા માટે શુક્રવારના દિવસે આ ઉપાય જરૂર કરો, જરૂર લાભ મળશે.

શુક્રવારે કરો આ ઉપાય, દૂર થશે આર્થિક સંકટ

જો તમે શુક્રવારે કેટલાક ખાસ ઉપાય કરશો તો દેવી લક્ષ્‍મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે. જો તમે શુક્રવારના દિવસે લક્ષ્‍મી અને કુબેર યંત્રને તમારા ધંધાના સ્થળે સ્થાપિત કરો છો, તો તમને વેપારમાં લાભ થશે.

જો ઘરમાં દરિદ્રતા હોય તો શુક્રવારે ગોમતી ચક્રનું આહ્વાન કરો અને તેને ઘરના મુખ્ય દ્વાર પર બાંધો. તેનાથી ઘરમાં દરિદ્રતા, દુ:ખ વગેરેનો નાશ થશે.

કુંડળીમાં શુક્ર નબળો હોય તો તેને બળવાન બનાવવા માટે રામાયણના લંકાકાંડનો પાઠ કરો. આ શુક્રને મજબૂત બનાવે છે.

જો તમારા ઘરમાં પૈસા રોકાતા નથી તો શુક્રવારે લાલ કપડામાં 11 નાના નારિયેળ બાંધી દો. તેને ઘરમાં સુરક્ષિત રાખો અથવા જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો. ધન સંચયમાં લાભ થશે.

જો તમે શુક્રવારે દેવી લક્ષ્‍મીની પૂજા કરો છો તો તેમને ખીર ચઢાવો. ખીર દેવી લક્ષ્‍મીની પ્રિય છે અને તેઓ તેનાથી પ્રસન્ન થાય છે અને હંમેશા તમારા પર તેમનો આશીર્વાદ રાખે છે.

જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય અથવા શુક્રની મહાદશા હોય તો ઘરમાં સ્ફટિકનું શિવલિંગ લાવી તેની પૂજા કરો. તમને ચોક્કસ ફાયદો થશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles