ભારતીય રસોડામાં એવા ઘણા મસાલા રહેલા છે જે ખાવાનો સ્વાદ તો વધારે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જ્યાર જમવાનું બનાવીએ છીએ ત્યારે તેમાં નાખવમાં આવતા મસાલા શાકભાજી અને કઠોળના પોષણ મૂલ્યને બમણા કરે છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મસાલા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાંથી એક છેસૂકા ધાણા. તેનું સેવન કરવાથી શરીરના અનેક રોગો દૂર કરવામાં મદદ કરે છે.
નિયમિત સવારના સમયે ધાણાનું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. જેનાથી શરીરને તાજગી અને એનર્જી મળે છે. અને થાકનો અનુભવ ઓછો થાય છે.
સૂકા ધાણામાં વિટામિન A અને વિટામિન C ઉપરાંત અન્ય પોષક તત્વો સમાયેલા છે. ઘણા લોકો ધાણા નો ઉપયોગ હર્બલ ટી અને ઉકાળો બનાવવા માટે પણ કરતા હોય છે.સૂકા ધાણાના પાણીના નિયમિત સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
સૂકા ધાણાનું પાણી પીવાથી શરીર રહેલુ બેડ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. તેના દ્વારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.જે લોકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે નિયમિત ધાણાનું પાણી પીવું જોઈએ.
સૂકા ધાણાના પાણીનું સેવન કરવાથી પેટ સબંધિત બીમારીમાં રાહત મળે છે.
જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ હોય તેઓ દરરોજ સૂકા ધાણાનું પાણી પીવું જોઈએ. સૂકા ધાણાનું પાણી પીવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. તેમજ મેટાબોલિઝમ પણ વધારે છે. જેના પગલે વજનમાં ઘટાડો થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)