જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહ તેની ગતિમાં ફેરફાર કરે છે. 12 રાશિઓ પર અસર કરે છે. ગ્રહોના સંક્રમણ અને તેમના સંયોગથી શુભ અને અશુભ યોગ બને છે. ગુરુ ગ્રહ મેષ રાશિમાં સ્થિત છે. 18 જાન્યુઆરીએ ચંદ્ર આ રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી ગજકેસરી યોગ બનશે. આ ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. આ યોગ બનવાની સાથે જ 3 રાશિઓનો સુવર્ણ કાળ શરૂ થશે.
મેષ રાશિ
દેવગુરુ અને ચંદ્રનો સંયોગ મેષ રાશિમાં થવાનો છે. જેના કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગના પ્રભાવથી મેષ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. માન-સન્માન પ્રાપ્ત થશે. કરિયરમાં પણ સુધારો થશે. સાસુ-સસરા સાથેના સંબંધો સુધરશે.
મકર રાશિ
મકર રાશિના ચોથા ઘરમાં ગજકેસરી યોગ બનવા જઈ રહ્યો છે. આ રાશિના લોકોને સંપત્તિનું સુખ મળી શકે છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. કરિયરમાં ઉન્નતિના માર્ગો ખુલશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે ગજકેસરી યોગ શુભ રહેવાનો છે. નાણાકીય યોજનાઓ સંબંધિત કામમાં તમને સફળતા મળશે. ઘરમાં શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. જે ટેન્શન છે તે દૂર થઈ જશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)