fbpx
Sunday, October 27, 2024

મકરસંક્રાંતિ પર બની રહ્યો છે અમૃત યોગ, આ 6 રાશિઓ પર થશે ધનની વર્ષા.

12 રાશિઓમાં સૂર્ય પરિવર્તનનો સમયગાળો સંક્રાંતિ કહેવાય છે. તેથી કોઈપણ સંક્રાંતિના સમયે સ્નાન, દાન, જપ અને યજ્ઞનું વિશેષ મહત્વ હોય છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને ‘મકરસંક્રાંતિ’ કહે છે. સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ દિવસ લાંબો થાય છે અને રાત ટૂંકી થાય છે.

વૈદિક કાળમાં ઉત્તરાયણને દેવયાન અને દક્ષિણાયનને પિતૃયાન કહેવામાં આવતું હતું. મકરસંક્રાંતિના દિવસે દેવતાઓ યજ્ઞમાં ચઢાવવામાં આવેલ અન્ન ગ્રહણ કરવા તેઓ પૃથ્વી પર આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે પુણ્ય, દાન, જપ અને ધાર્મિક અનુષ્ઠાનનું ખૂબ મહત્વ છે. આ પ્રસંગે કરવામાં આવેલ દાન પુનર્જન્મ પછી સો ગણું પ્રાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ પર દાનનું મહત્વ

આ તહેવાર પર તલનું વિશેષ મહત્વ છે. તલ ખાવાનું અને તલનું વિતરણ કરવાનું આ તહેવારનું મહત્વ છે. શરદીથી બચવા માટે તલનું તેલ મહત્વનું છે. આ દિવસે તલ, ગોળ અને સાકર મિશ્રિત લાડુ ખાવાનું અને તેનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના એક દિવસ પહેલા, આ તહેવાર હિમાચલ, હરિયાણા અને પંજાબમાં “લોહડી” તરીકે ઉજવવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં આ મકરસંક્રાંતિ ખીચડીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ખીચડી ખાવાનું અને ખીચડી-તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ પ્રસંગે ગંગા કિનારે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવાથી સામાજિક એકતા અને શાશ્વત પુણ્યનું પરિણામ મળે છે.

મકરસંક્રાંતિ પર 6 રાશિ પર થશે શુભ અસર

સૂર્ય આજે સોમવારે સવારે 8:42 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે.

કુંભ રાશિના જાતકો માટે આ સંક્રાતિ ખૂબ જ ફાયદાકારક રહેશે.

મકર અને કુંભ રાશિના લોકોના અટકેલા કામ ઝડપથી પૂરા થવા લાગશે.

મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને જમીનનું સુખ મળી શકે છે.

વૃષભ અને તુલા રાશિના જાતકોને વાહન અને મકાનની તકો મળી રહી છે.

મિથુન અને કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે.

કર્ક રાશિના જાતકો માટે ધંધામાં લાભ થશે અને અટકેલા કામ થશે.

સિંહ રાશિના લોકો માટે વાહન સુખ અને રાજકીય લાભની શક્યતાઓ છે.

ધનુ અને મીન રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles