fbpx
Saturday, October 26, 2024

પૂજા સમયે માતા લક્ષ્મીને ચઢાવો આ ફૂલ, તિજોરી ક્યારેય ખાલી નહીં થાય

માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજા દરમિયાન તેમને કેટલાક ખાસ ફૂલ અર્પણ કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થાય છે. સાથે જ તે વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમના મનપસંદ ફૂલ તેમને ચઢાવી શકો છો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. 

હિન્દુ ધર્મમાં દરરોજ ભગવાનની પૂજા કરવાની પરંપરા છે. પૂજા દરમિયાન ભગવાનને ફૂલ પણ ચઢાવવામાં આવે છે. ભગવાનને તેમના મનપસંદ ફૂલ ચઢાવવામાં આવે તો તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. આજે અમે તમને જણાવીએ ધનના દેવી લક્ષ્મીજીના પ્રિય ફૂલ કયા કયા છે. 

માતા લક્ષ્મીના પ્રિય ફૂલ

કમળ

દેવી લક્ષ્મી કમળ પર બિરાજમાન હોય છે. કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.

જાસૂદ

લાલ રંગનું જાસૂદનું ફૂલ પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે.  આખા વર્ષ દરમિયાન આ ફૂલો મળી રહે છે. દેવી લક્ષ્મીને જાસૂદના ફૂલ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

પારિજાતના ફૂલ

પારિજાતના ફૂલો નાના અને સફેદ રંગના હોય છે. તેમાંથી મીઠી સુગંધ આવતી હોય છે. એવું કહેવાય છે કે જો તમે તેને ઘરમાં વાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરો છો તમારા ઘરમાં ધનના ભંડાર ભરાય છે. 

અપરાજિતા ફૂલ

અપરાજિતાના ફૂલો દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ ફૂલો ભગવાન શંકર અને દેવી લક્ષ્મી બંનેને ખૂબ પ્રિય છે.  દેવી લક્ષ્મીને આ ફૂલ અર્પણ કરવાથી ક્યારેય કરજ કરવું પડતું નથી. 

કરેણના ફૂલ

કરેણના ફૂલ અલગઅલગ રંગના હોય છે. પરંતુ દેવી લક્ષ્મીને સફેદ કરેણના ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. પૂજામાં આ ફૂલનો ઉપયોગ કરવાથી ઘરમાં પૈસાની તંગી સર્જાતી નથી. 

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles