fbpx
Saturday, October 26, 2024

જીવનના સંકટ દૂર થશે અને ઋણમાંથી મુક્તિ મળશે, કરો આ વ્રત

હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓને અનેક વ્રત કરવામાં આવતા હોય છે. જે પૈકી એક વ્રત પ્રદોષનું વ્રત છે. પ્રદોષ વ્રત દર મહિનાની ત્રયોદશી પર રાખવામાં આવે છે. આ વખતે પ્રદોષ વ્રત 23મી જાન્યુઆરીએ કરવામાં આવશે, આ દિવસે મંગળવાર છે. મંગળવારે હોવાથી આ પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે.

પ્રાપ્ત થશે શિવજી અને હનુમાનજીની કૃપા

કહેવાય છે કે, આ દિવસે વ્રત અને વિશેષ પૂજા કરવાથી ભગવાન શિવ અને હનુમાનજી બંનેની કૃપા પ્રાપ્ત થઈ જાય છે અને ભક્તનું જીવન બદલાઈ જાય છે. જેમને દેવું હોય છે, તેઓ પણ દેવામુક્ત થઈ જાય છે. દર મહિને બે પ્રદોષ વ્રત આવે છે. મંગળવારે જે પ્રદોષ વ્રત આવે છે, તે ભૌમ પ્રદોષ વ્રત છે. તેમણે કહ્યું હતું કે, આ દિવસે લાલ વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, જે લોકોના જીવનમાં વધુ ખરાબ ઘટના થઈ રહી છે, તેમણે પણ લાલ વસ્તુઓનું દાન કરવું જોઈએ અથવા ભગવાન શિવને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ.

મળશે દેવામાંથી મુક્તિ, કરો આ

જેઓ દેવાદાર છે, તેમના માટે ભૌમ પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા લોકો આ વ્રત કરી શકે છે. આવા લોકોએ આ દિવસે મંગળની વિધિવત પૂજા કરવી જોઈએ, આવું કરવાથી દેવામાંથી રાહત મળી શકે છે. આ દિવસે સાંજે દૂધ, દહીં, ઘી, સાકર અને મધથી ભગવાન શિવનો રુદ્રભિષેક કરવો જોઈએ અને પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, આનાથી જીવનમાં રહેલા સંકટ સમાપ્ત થાય છે.

શત્રુઓ અને વિરોધીઓને શાંત કરવા કરો આ વ્રત

ભૌમ પ્રદોષ વ્રત તે લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે , જેમને હંમેશા તેમના શત્રુઓનો ડર રહે છે. શત્રુઓ અને વિરોધીઓને શાંત કરવા માટે ભૌમ પ્રદોષના દિવસે બજરંગબલીની પૂજા કરવી જોઈએ. ભૌમ પ્રદોષના દિવસે સવારે લાલ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાનજીએ લાલ ફૂલોની માળા અને તાંબાનો ત્રિકોણાકાર ટુકડો પૂજામાં અર્પણ કરવો જોઈએ. આ પછી ગોળ ચઢાવીને દીવો પ્રગટાવવો જોઈએ. આવું કર્યા પછી સંકટમોચન હનુમાષ્ટકનો 11 વખત પાઠ કરવો જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles