fbpx
Sunday, October 27, 2024

દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા ગુરુવારે કરો આ ઉપાય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો વેપાર ખૂબ જ વધે અને તેને સફળતા મળે. પરંતુ ઘણી વખત મહેનત કર્યા છતાં પણ સફળતા મળતી નથી. દિવસ રાત વેપારમાં મહેનત કરવામાં આવે તેમ છતાં નુકસાન વધી જાય છે અને આર્થિક તંગી થવા લાગે છે. આવી સ્થિતિ ઘણી વખત એવા સમયે પણ થાય છે જેમાં દેવી-દેવતાઓ અને ગ્રહ નક્ષત્ર ખુશ ન હોય. તેવામાં કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી આ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. 

આવા જ ચમત્કારી ઉપાયોમાંથી એક ઉપાય ધતુરાનો છે. જે લોકોને વેપારમાં નુકસાન જઈ રહ્યું હોય અને કરજ વધી રહ્યું હોય તેમણે ગુરુવારના દિવસે શિવલિંગ ઉપર ધતુરો અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી તમારા વેપારમાં આવતી સમસ્યાઓથી મુક્તિ મળી જશે. 

પ્રદોષ વ્રત પર કરો આ ઉપાય

કોઈપણ મહિનાની તેરસની તિથિ એટલે કે પ્રદોષ વ્રત હોય ત્યારે એક ધતુરો લઈને શિવલિંગ ઉપર અર્પણ કરવો. ત્યાર પછી એક કળશ પાણી ચઢાવવું. ભગવાનને પ્રાર્થના કરવી અને પછી ધતુરાને પોતાની સાથે ઘરે લઈ આવો. તેને ઘરના પવિત્ર સ્થાન પર રાખો અથવા તો વેપારની જગ્યાએ પણ તમે તેને રાખી શકો છો. આ ઉપાય કરવાથી વેપારમાં પ્રગતિ થશે અને કરજ દૂર થશે.

વેપાર વધારવા કરો કપૂરનો ઉપાય

જો વેપારમાં સમસ્યાઓ આવી રહી હોય તો એક કાચની વાટકીમાં કપૂરના સાત ટુકડા, બે ફટકડીના ટુકડા અને એક ટુકડો નમકનો લઈને વેપારની જગ્યાએ રાખી દો. દર પંદર દિવસે આ વસ્તુઓને બદલો. આમ કરવાથી વેપારમાં નુકસાન થતું અટકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles