fbpx
Sunday, October 27, 2024

વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ છે મહત્વ, દેવી સરસ્વતી સાથે છે સંબંધ

માહ માસની પાંચમના રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યા, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આનું મોટું મહત્વ છે. સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે. વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઇ માતા લક્ષ્‍મીને પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઇ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે. આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે.

વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતિક છે. વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે. વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે.

આ છે વૈજ્ઞાનિક તર્ક

વૈજ્ઞાનિક રીતે કહીએ તો, પીળો રંગ શક્તિનું પરિબળ માનવામાં આવે છે. તે માત્ર મૂડ જ નહિ સુધારે, પરંતુ સારી લાગણી પણ લાવે છે. તેનાથી વ્યક્તિની અંદર સારી લાગણીઓ આવે છે. આ જ કારણ છે કે આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જાણો ક્યારે છે વસંત પંચમી અને શુભ મુહૂર્ત

કોઈપણ તહેવાર અને તિથિમાં શુભ સમય હોય છે. આ શુભ સમય દરમિયાન સાચા હૃદયથી ભગવાનની ઉપાસના કરવાથી વ્યક્તિ તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. તેવી જ રીતે, વસંત પંચમીનું શુભ મુહૂર્ત 14 જાન્યુઆરીએ સવારે 7:01 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:35 સુધી ચાલશે. આ સમય દરમિયાન દેવી સરસ્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ છે.

આ રીતે કરો દેવી સરસ્વતીની પૂજા

વસંત પંચમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું. આ પછી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. માતાને ખાસ કરીને આ રંગ ગમે છે. મંદિરને સાફ કરો અને પાણીનો છંટકાવ કરો. આનાથી વસ્તુઓ શુદ્ધ થઇ જાય છે. હવે માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરો. તમે દેવી માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી શકો છો. પીળા રંગની રોલી, પીળા ફૂલ, અક્ષત અને મીઠાઈઓ પણ ચઢાવો અને દીવો પ્રગટાવો. તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles