હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ વધુ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના વિધિ વિધાનથી કરવામાં આવે છે. જણાવી દઈએ કે જે લોકો મહાશિવરાત્રીના દિવસે વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરે છે, એમની બધી મનોકામના પુરી થાય છે. સાથે જ બધી સમસ્યા દૂર થાય છે.
મહાશિવરાત્રી પૂજાનું મહત્વ
વૈદિક શાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ માસની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ 8 માર્ચ 2024ના રોજ છે. જ્યોતિષ અનુસાર, આ દિવસે વ્રત રાખવા સાથે સાથે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેક કરવામાં આવે છે. સાથે જ ઘણા પ્રકારની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં પણ ભીડ જોવા મળે છે. એવામાં લોકો પૂજા-પાઠ કરી ભગવાન શિવ પાસે મનવાંછિત વરદાન માંગે છે.
મહાશિવરાત્રીના દિવસે કરો આ ખાસ ઉપાય
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવ અને શક્તિના મિલનની રાત્રિનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે રાત્રે અનેક પ્રકારની આધ્યાત્મિક શક્તિઓ જાગી જાય છે. જેના કારણે પૂજા કરનારની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
જે લોકો મહાશિવરાત્રીના દિવસે બેલપત્રથી ભગવાન શિવની પૂજા કરે છે તેમની ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઉપરાંત, તેઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ. તો જ શિવરાત્રીનું ફળ મળે છે.
અવિવાહિત છોકરીઓ મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખે છે. આ વ્રત કરવાથી મનવાંછિત વરની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓના વૈધવ્યના દોષો પણ દૂર થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)