fbpx
Sunday, October 27, 2024

માઘ પૂર્ણિમાના દિવસે કરો આ કામ, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે

આખા વર્ષ દરમિયાન કુલ 12 પૂર્ણિમા આવતી હોય છે, દરેક પૂર્ણિમાનું પોતાનું આગવું મહત્વ હોય છે. બધા દિવસોમાંથી પૂર્ણિમાના દિવસને સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. જે પૈકી માઘ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે, જો ભક્તો પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની વિધિથી પૂજા કરે છે, તો તેમની અનંત કૃપા ભક્તો ઉપર હંમેશા રહે છે.

આ સાથે પૂનમના દિવસે સ્નાન, દાન અને જાપ કરવાને શુભ માનવામાં આવે છે. પૂનમના દિવસે હવન કરવો જ જોઈએ, જો તમે આ દિવસે ખાસ રીતે હવન કરશો, તો ભગવાન વિષ્ણુ હંમેશા પ્રસન્ન રહેશે.

આ દિવસે છે માઘ પૂર્ણિમા

આ વર્ષે માઘ પૂર્ણિમા 24 ફેબ્રુઆરીએ છે. માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્‍મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ, તેનાથી શુભ ફળ મળે છે. જે વ્યક્તિ આર્થિક મુશ્કેલીમાં હોય તેણે માઘ પૂર્ણિમાના દિવસે તલનો હવન કરવો જોઈએ. તેનાથી દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને આર્થિક પરેશાનીઓ ખતમ થઈ જશે.

માઘ પૂર્ણિમાના દિવસે કરો હવન

માઘ પૂર્ણિમાના દિવસે હવન અવશ્ય કરવો જોઈએ, તેનાથી દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. માઘ પૂનમના દિવસે ગાયના શુદ્ધ ઘી, મધ, ખીર અને સફેદ તલ મિક્સ કરીને 21 વખત હવન કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સફેદ તલ અને ખીર ખૂબ જ પસંદ છે. માઘ પૂર્ણિમાના દિવસે શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની કૃપા મળશે અને તમને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles