fbpx
Sunday, October 27, 2024

જાણો મહા માસના બુધ પ્રદોષ વ્રત પર રૂદ્રાભિષેકનું મહત્વ

મહા માસનો પ્રદોષ વ્રત આજે બુધવારના દિવસે છે. આ સમયે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે અને ત્રયોદશીએ પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. આ પ્રદોષ બુધવારના રોજ હોવાથી બુધ પ્રદોષ કહેવાશે. આ વર્ષે બુધ પ્રદોષ આયુષ્માન અને સૌભગ્ય યોગમાં છે. સાથે જ આ દિવસે પુનર્વસુ તેમજ પુષ્ય નક્ષત્ર પણ છે.

જે લોકો પ્રદોષના દિવસે રુદ્રાભિષેક કરવા માંગે છે, એમના માટે પણ શુભ યોગ છે. તો ચાલો જાણીએ મહા માસના પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.

બુધ પ્રદોષ વ્રત ક્યારે છે?

વૈદિક કેલેન્ડર અનુસાર, આ વખતે મહા શુક્લ ત્રયોદશી તિથિ 21 ફેબ્રુઆરી, બુધવારે સવારે 11.27 કલાકથી શરૂ થઈ રહી છે. આ તારીખ ગુરુવાર, ફેબ્રુઆરી 22ના રોજ બપોરે 01:21 વાગ્યે સમાપ્ત થશે. પ્રદોષ વ્રત માટે પ્રદોષ કાળની પૂજાનો શુભ સમય માન્ય છે. તેના આધારે 21 ફેબ્રુઆરીએ બુધ પ્રદોષ વ્રત ઉજવવામાં આવશે. તેનું કારણ એ પણ છે કે ત્રયોદશી તિથિ 22 ફેબ્રુઆરીએ બપોરે પૂરી થઈ રહી છે.

બુધ પ્રદોષ વ્રત 2024 શુભ મુહૂર્ત

21મી ફેબ્રુઆરીએ બુધ પ્રદોષનું વ્રત રાખનારાઓને શિવ ઉપાસના માટે અઢી કલાકથી વધુ સમય મળશે. મહાના બુધ પ્રદોષ વ્રતની પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે 06:15 થી 08:47 સુધીનું છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 05:13 થી 06:04 સુધી છે.

સૌભાગ્ય યોગ અને પુષ્ય નક્ષત્રમાં પ્રદોષ પૂજા

માહના બુધ પ્રદોષ વ્રતની પૂજા સૌભાગ્ય યોગ અને પુષ્ય નક્ષત્રમાં થશે. વ્રતના દિવસે વહેલી સવારથી આયુષ્માન યોગ ચાલુ રહેશે, જે સવારે 11:51 વાગ્યે સમાપ્ત થશે. ત્યારપછી સૌભાગ્ય બની જશે, જે આખી રાત સુધી ચાલશે. જ્યારે પુનર્વસુ નક્ષત્ર સવારથી બપોરે 02.18 વાગ્યા સુધી છે, ત્યારબાદ પુષ્ય નક્ષત્ર રહેશે.

બુધ પ્રદોષ વ્રત 2024 રુદ્રાભિષેક સમય

બુધ પ્રદોષ વ્રતના દિવસે, જે લોકો શિવના આશીર્વાદ અને જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે રૂદ્રાભિષેક કરવા માંગતા હોય, તેઓ સૂર્યોદય પછી તેની તૈયારી કરી શકે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે રુદ્રાભિષેક માટે જરૂરી શિવવાસ કૈલાસ પર પ્રાતઃ કાળ 11.27 વાગ્યા સુધી છે, ત્યારબાદ શિવવાસ નંદી પર રહેશે.

પ્રદોષ વ્રતનું મહત્વ

પ્રદોષ વ્રત રાખવાથી અને ભગવાન શિવની આરાધના કરવાથી વ્યક્તિના તમામ કષ્ટો દૂર થાય છે અને રોગોથી મુક્તિ મળે છે. ભગવાન ભોલેનાથની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ધન, સંપત્તિ, સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ, આરોગ્ય, સંતાન વગેરેની પ્રાપ્તિ થાય છે.’

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles