fbpx
Sunday, October 27, 2024

ગુરુવારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો જીવન મુશ્કેલીઓથી ભરેલું રહેશે

સનાતન ધર્મમાં ગુરુવારને ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ગુરુ ગ્રહના મજબૂત ઉપાય કરવામાં આવે છે, આ કારણથી ગુરુવાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવા અને વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુવારના દિવસે કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે.

માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક કાર્યો કરવાથી વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ધનહાનિ પણ થાય છે. તો ચાલો જાણીએ કે ગુરુવારના દિવસે કયા કામ કરવાથી બચવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુવારના દિવસે કોઈ પાસે પણ ધનની લેવડ-દેવળ કરવી જોઈએ નહિ. જો તમે કોઈ પાસે પૈસા લો છો કે આપો છો, તો એનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ કમજોર થાય છે. સાથે જ સુખ સુવિધાઓની કમી આવે છે.

આ દિવસે કેળાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન બૃહસ્પતિની પૂજા કરવામાં આવે છે, તેથી કેળાનું સેવન કરવાનું ટાળો. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. આ કારણથી આ દિવસે કેળા ખાવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે કેળાનું સેવન કરે છે, તો તેને ધનની ખોટનો સામનો કરવો પડે છે અને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો શરૂ થાય છે.

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા માટે સરસવ અને તલના તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજામાં માત્ર દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે સિલાઈ કરવી પણ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ કામ કરવાથી ગુરુ ગ્રહ નબળો પડે છે અને આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles