fbpx
Sunday, October 27, 2024

વિજયા એકાદશી પર કરો તુલસીનો આ ખાસ ઉપાય, મળશે સુખ-સમૃદ્ધિ આશીર્વાદ

હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્વ છે. ઘણા લોકો આ દિવસે વિધિવત વ્રત અને પૂજા કરે છે. જેથી તેમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. હિંદુ પંચાગ અનુસાર દર મહીનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને ભક્તો તેમના મનોરથો આ દિવસે વ્રત રાખીને પૂરા કરવા માટે પ્રાર્થના કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

વૈદિક પંચાંગ અનુસાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે.

પંચાંગમાં અનુસાર, વિજયા એકાદશી વ્રત 06 માર્ચ 2024, બુધવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યોતિષમાં તુલસી સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે એકાદશીના વ્રતના દિવસે કરવામાં આવે તો વિશેષ લાભ થાય છે. તો ચાલો જાણીએ એકાદશી પર કરવામાં આવતા તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

તુલસી પૂજાનું મહત્વ

ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તેથી જ ભોગ અથવા પૂજા દરમિયાન તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે. તેથી જ એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. આ સિવાય પારિવારિક જીવનમાં પણ તેના સકારાત્મક પરિણામો મળે છે અને વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની સાથે તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

એકાદશીના દિવસે કરો તુલસીના આ ખાસ ઉપાયો

એકાદશી વ્રતના દિવસે તુલસીના છોડને લાલ રંગની ચૂંદડી ચઢાવો અને સાંજે ઘીનો દીવો કરો. આ ઉપાયથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.

વિજયા એકાદશીના દિવસે તુલસી પર નાડાછડી બાંધો. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.

વિવાહિત જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે તુલસીના છોડને 16 શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો. આમ કરવાથી લગ્ન જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે.

લગ્નમાં થઇ રહેલા વિલંબથી બચવા માટે એકાદશી વ્રતના દિવસે ભગવાન તુલસી અને શાલિગ્રામની પૂજા કરો. આમ કરવાથી વૈવાહિક જીવનની સાથે પારિવારિક જીવનમાં પણ વિશેષ લાભ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles