fbpx
Sunday, October 27, 2024

ઘરમાં પૈસાની તંગી હોય તો આ ઉપાય વિના કોઈ સમાધાન નથી! અચૂક અજમાવો

ધાર્મિક માન્યતા અનુસાર, બુધવાર ખાસ કરીને માતા પાર્વતીના મોટા પુત્ર ભગવાન ગણેશને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીના આશીર્વાદથી કોઈપણ કાર્યમાં અડચણ આવતી નથી અને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવી જોઈએ. ગણેશજીપ્રથમ પૂજનીય દેવતા છે. એટલા માટે તેમને યાદ કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવામાં આવતું નથી. એવી માન્યતા છે કે સાચા મનથી તેમની પૂજા કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ માત્ર ધ્યાન કરવાથી દૂર થઈ જાય છે. આ કારણથી કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા શ્રી ગણેશજીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. જો બુધવારે કેટલાક શાસ્ત્રીય ઉપાય કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા મળી શકે છે. માન્યતા અનુસાર બુધવારે વિધ્નહર્તા એટલે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. જો ઘરમાં સતત પૈસાની તંગી રહેતી હોય તો બુધવારે કરેલા આ ઉપાયથી બદલાઈ જશે તમારી કિસ્મત, વિધ્ન હર્તા હરી લેશે તમારી તમામ તકલીફો.

ગણેશજીને આ રીતે કરો પ્રસન્ન

ગણેશજીને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસે કરવામાં આવતા અનેક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. જો બુધવારે કેટલાક શાસ્ત્રીય ઉપાય કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા મળી શકે છે. માન્યતા અનુસાર બુધવારે વિધ્નહર્તા એટલે કે ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. નારદ પુરાણમાં ભગવાન ગણેશના આ 12 નામનો બુધવારે સવાર-સાંજ 108 વાર જાપ કરવાથી તમામ અવરોધોનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન શ્રી ગણેશના આ બાર નામોનું ધ્યાન કરવાથી ભગવાન ગૌરી નંદન ગણેશ પોતાના ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે જો તમારે ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો તમારા ઘરમાં જ ગણેશજીની પૂજા નિયમ પ્રમાણે કરો અને તેમના બાર નામનો 108 વાર જાપ કરો.

બુધવારના ઉપાય

બુધવારે ગણેશજીના મંદિરના દર્શન કરો.
શ્રી ગણેશને લીલી દૂર્વા અર્પણ કરો.
દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો.
બુધવારે ગણેશજીને સિંદૂર અર્પણ કરો.
ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.
7 બુધવાર સુધી ગણેશ મંદિરમાં ગોળ ચડાવો, તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે.
મહેનતનું પૂર્ણ ફળ મેળવવા અને વિઘ્નો દૂર કરવા માટે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરો.
ગણેશજીને મગના લાડુ અર્પણ કરો અને તમામ પ્રકારની પરીક્ષાઓમાં પાસ થવાની પ્રાર્થના કરો.

‘ગં હન ક્લાઉં ગ્લૌં ઉચ્ચિષ્ટગણેશાય મહાયક્ષાયમ બલિહ’ અથવા ‘ઓમ ગં ગણપતયે નમઃ’ મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી બને છે. નારદ પુરાણ અનુસાર ગણેશના 12 નામ છે – સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન-નાશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન. આવી સ્થિતિમાં આજે અમે તમને ગણેશજીના કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવાથી તમે પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત કરશો. જો તમે તમારી બધી બાધાઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો બુધવારે આ ઉપાયો અજમાવો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles