fbpx
Monday, October 28, 2024

આ દિવસથી ખરમાસ શરૂ થશે, એક મહિના સુધી શુભ કાર્યો પર રહેશે વિરામ

ભગવાન સૂર્યના રાશિ પરિવર્તનથી શુભ કાર્યો પર પણ વિરામ લાગી જશે. 14 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને 13 એપ્રિલ સુધી ત્યાં બિરાજમાન રહેશે. આ સમયગાળા દરમિયાન, તમામ માંગલિક કાર્યો પર રોક લાગેલી રહેશે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક કાર્યો એટલે કે પૂજા-પાઠ અને હવન તો કરી શકાય છે પરંતુ કોઈ પણ પ્રકારનું શુભ અને માંગલિક કાર્ય કરી શકાતું નથી.

પંચાંગ અનુસાર 14 માર્ચે સવારે 12:24 કલાકે ભગવાન સૂર્ય કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ ખરમાસની શરૂઆત થશે. સૂર્યદેવ 13મી એપ્રિલે રાત્રે 9:03 વાગ્યા સુધી મીન રાશિમાં રહેશે અને ત્યાર બાદ તેઓ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે જ ખરમાસનું સમાપન થશે. ખરમાસ દરમિયાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો કરી શકાતા નથી.

હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થશે

પંચાંગ અનુસાર હોલિકા દહનના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટક 17 માર્ચથી શરૂ થઈ રહ્યાં છે અને 25 માર્ચે સમાપ્ત થશે. ફાગણ અષ્ટમીથી હોલિકા દહન સુધીના આઠ દિવસ હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ દેવી-દેવતાઓની પૂજા માટે આ શ્રેષ્ઠ દિવસો છે. આ આઠ દિવસો દરમિયાન, વિવાહ સંસ્કાર, મુંડન સંસ્કાર, ગૃહ પ્રવેશ, મકાન, જમીન, વાહન વગેરેની ખરીદી અને વેચાણ નિષેધ માનવામાં આવે છે.

વર્ષમાં બે વાર લાગે છે ખારમાસ

ખરમાસમાં સૂર્ય પોતાના ગુરુ ગ્રહની સેવામાં હોય છે. આ કારણે શુભ કાર્યો પર સૂર્યનો પ્રભાવ ઓછો થાય છે. ખરમાસમાં, લગ્ન, મુંડન સમારોહ અને ગૃહ પ્રવેશ પર રોક લાગી જાય છે, જ્યારે દેવતાઓ, માતા પૂજન, બ્રાહ્મણો અને ગાયો વગેરેની પૂજા અને સેવા કરી શકાય છે. ખરમાસ વર્ષમાં બે વાર લાગે છે. એકવાર જ્યારે સૂર્ય ધનુરાશિમાં પ્રવેશ કરે છે અને બીજી વખત જ્યારે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે.

આ કામો પર લાગશે રોક

ખરમાસ દરમિયાન લગ્ન, નવું ઘર કે ધંધો શરૂ કરવો, મુંડન, ગૃહ પ્રવેશ, સગાઈ, દીકરી કે વહુની વિદાય જેવા સંસ્કાર પર રોક લાગી જાય છે. ખરમાસમાં નવા વાહન, મકાન, પ્લોટ, રત્ન-આભૂષણ વગેરે ન ખરીદવું જોઈએ.

કરી શકાય છે આ કામ

દાન, જપ અને તપ, ગુરુ, ગાય અને સાધુ-સંતોની સેવા, તીર્થયાત્રા, ભગવાન સૂર્યને જળ અર્પણ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles