fbpx
Sunday, October 27, 2024

હનુમાનજીને ચડાવવામાં આવતા અકડાના પાનથી થાય છે અનેક રોગો દૂર, જાણો કેવી રીતે

આકડાને અકવાન અથવા અકોવાના નામથી પણ ઘણા લોકો ઓળખે છે. કેટલાક લોકો આ છોડને ઝેરી છોડ તરીકે પણ ઓળખે છે. આકડાના પાન ઘણી બીમારીઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

શરીરમાં વધારે પડતા સાંધાનો દુખાવો થાય ત્યારે આકડાના પાનને ગરમ કરીને દુખાવો થતો હોય તે શરીરના ભાગમાં બાંધવા લો. થોડા કલાક તેને રહેવા દો. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે.

તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો.

આ માટે આકના પાંદડાને પગની નીચે એટલે કે તળિયા પર મૂકો અને મોજા પહેરો.

શરીરના કોઈપણ ભાગમાં ઈજા થઈ હોય તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે માત્ર મદારના પાનને ગરમ કરો, ઈજાગ્રસ્ત જગ્યા પર તેલ લગાવો અને બાંધો.

ત્વચા પર જો ખંજવાળની સમસ્યા થાય તો આકડાના મૂળ બાળીને તેની રાખને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે. 

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles