fbpx
Monday, October 7, 2024

રાત્રિભોજન પછી શા માટે મહત્વનું છે ચાલવું? તેના દ્વારા દૂર કરી શકાય છે આ સમસ્યાઓ

સ્વાસ્થ્યને ખોરાક સાથે સીધો સંબંધ છે, કારણ કે ખોરાક દ્વારા જ શરીરને પોષણ મળે છે અને આપણા શરીરના તમામ ઓર્ગન સારી રીતે કામ કરી શકે છે, તેથી આપણને સમયસર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનું કહેવામાં આવે છે. ખાસ કરીને રાત્રે 7થી 8 વાગ્યા દરમિયાન ડિનર કરવાની સલાહ આપવામાં આવે છે જેથી તમારા ઊંઘવાના સમય અને ડિનર વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રહે.

આ ઉપરાંત, ડિનર કર્યા પછી થોડો સમય વોકિંગ કરવું પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ ન માત્ર તમને શારીરિક રીતે ફિટ રાખે છે, પરંતુ તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ સુરક્ષિત રાખે છે.

કેટલાક લોકોને મોડી રાત સુધી જાગવાની અને મોડી રાતે જમવાની આદત હોય છે, જેના કારણે લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે અને આ આદત ઘણી બીમારીઓનું કારણ બની જાય છે. ચાલો જાણીએ કે ડિનરકર્યા પછી વોકિંગ કરવું શા માટે જરૂરી છે.

પાચનક્રિયા સુધરે છે

ડિનર કર્યા પછી 15થી 20 મિનિટ ચાલવાથી પાચનમાં મદદ મળે છે. જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો તમને પેટમાં દુખાવો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

બ્લડ સુગર અને વજન જળવાઈ રહે છે

ડિનર કરીને તરત સૂઈ જવાથી વજન વધી શકે છે અને તેનાથી ડાયાબિટીસ થઈ શકે છે. દરરોજ રાત્રે જમ્યા પછી થોડો સમય ચાલવાથી બ્લડ સુગર જળવાઈ રહે છે. ડિનર કર્યા પછી ચાલવાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે અને તમે સ્થૂળતાની સમસ્યાથી દૂર રહી શકો છો.

ઊંઘની પેટર્ન યોગ્ય રહે છે

જમ્યા પછી તરત જ સૂઈ જવાથી રાત્રે અનિદ્રા થઈ શકે છે. જો તમે ડિનર કર્યા પછી થોડો સમય વોક કરો છો, તો તેનાથી તમને સારી ઊંઘ આવે છે અને ઊંઘની પેટર્ન સુધરે છે. આ સાથે તણાવ અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે.

રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે

જ્યારે તમે ડિનર કર્યા પછી થોડો સમય ચાલવા જાઓ છો, ત્યારે ખોરાક સારી રીતે પચી જાય છે અને પોષક તત્વો શરીરમાં યોગ્ય રીતે શોષાય છે, જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે અને તમે બીમાર નથી પડતા.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles