fbpx
Tuesday, October 15, 2024

વરસાદની સિઝનમાં હર્બલ ટી પીવાનું શરૂ કરો, ઘણી બીમારીઓથી દૂર રહેશો

ચોમાસાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે. વરસાદને કારણે આ સિઝનમાં ગરમીથી રાહત મળી છે, પરંતુ આ સમયગાળામાં રોગોનો ખતરો છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદનું આગમન થયું છે. આકરા તડકાથી રક્ષણની આ સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી કોઈપણ પ્રકારના ચેપથી બચી શકાય.

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ સિઝનમાં સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકો ચોમાસાની ઋતુમાં થતા ચેપ માટે ઝડપથી સંવેદનશીલ બની જાય છે. ચોમાસાની ઋતુમાં રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે. આ માટે તમે હર્બલ ટી પી શકો છો. ચાલો જાણીએ કે કઈ હર્બલ ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ફૂદિનાની ચા : વરસાદની મોસમમાં ફૂદિનાની ચા પીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તાજગી આપવા ઉપરાંત તમને ઘણા ફાયદા પણ મળશે. આ ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. ફુદિનાની ચા શ્વાસને પણ તાજગી આપે છે.

આદુની ચા : આદુની ચા ઘણા લોકોની પહેલી પસંદ હોય છે. કેટલાક લોકો તેમની સવારની શરૂઆત આ ચાથી કરે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને એલર્જી પણ દૂર થાય છે.

કેમોમાઈલ ટી : ચોમાસામાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેમોમાઈલ ચા પીવી ખૂબ જ ફાયદાકારક છે. તે તણાવને દૂર કરવામાં અને સારી ઊંઘ મેળવવામાં પણ મદદરૂપ છે. તેની સાથે જ તે પાચન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ગ્રીન ટી : સામાન્ય રીતે લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીવે છે. પરંતુ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર આ ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. આ આપણા શરીરને પણ ડિટોક્સ કરે છે. તે રોગો સામે અસરકારક રીતે લડવામાં મદદ કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles