fbpx
Thursday, October 24, 2024

સુકી ઉધરસ માટે આ ઘરગથ્થુ ઉપચાર અપનાવો, ઉધરસ ગાયબ થઈ જશે

વાતાવરણમાં ફેરફાર થાય તેની સાથે શરીર પર પણ તેની અસર થાય છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ, વાયરલ ફ્લુ અને સૂકી ઉધરસ સમસ્યાનું કારણ બને છે. જેમાંથી સૂકી ઉધરસ એકવાર થઈ જાય તો પછી ઝડપથી મટતી નથી. સુકી ઉધરસના કારણે દિવસ રાત પરેશાન થવું પડે છે. ખાસ તો રાત્રે સૂતી વખતે ઉધરસ વધી જાય છે જેના કારણે ઊંઘ પણ બરાબર થતી નથી. ઘણી વખત તો ઉધરસ મટાડવાની દવાઓ પણ ઝડપથી અસર કરતી નથી. 

તેવામાં તમે કેટલા ખાસ ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો. સુકી ઉધરસ મટાડવા માટે કેટલાક દેશી ઉપચાર ખૂબ જ અસરકારક ગણાય છે. દાદી-નાનીના સમયથી આ નુસખાને અજમાવવામાં આવે છે અને તે દર વખતે અસરકારક સાબિત થાય છે. જો તમને પણ આ ચોમાસામાં સૂકી ઉધરસ પરેશાન કરી રહી હોય તો આ ત્રણમાંથી કોઈ એક ઉપાય આજથી જ શરૂ કરી દો થોડા જ દિવસોમાં ઉધરસ મટી જશે. 

સૂકી ઉધરસ માટેના ઉપાય 

ગરમ પાણી અને મધ

બદલતા વાતાવરણમાં ઠંડુ પાણી પીવાનું તાળવું જોઈએ. આ સિવાય ગરમ પાણી પીવાની શરૂઆત કરી દેવી. જો તમે દિવસ દરમિયાન હુંફાળું પાણી ન પી શકતા હોય તો દિવસમાં બે થી ત્રણ વખત એક ગ્લાસ હુંફાળા પાણીમાં 4 ચમચી મધ ઉમેરીને પી જવું. તેનાથી સુકી ઉધરસથી તુરંત રાહત મળી જશે. 

આદુ અને મીઠું 

આદુ એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે એટલે કે તે દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ વસ્તુ છે. સુકી ઉધરસ માટે તે રામબાણ દવા છે. જો તમે ખાઈ શકતા હોય તો આદુનો એક ટુકડો કાચો ચાવીને ખાઈ લેવો. અને જો આદુ ખાઈ ન શકાય તો તેનો રસ કાઢી તેમાં મીઠું મિક્સ કરીને પી જવું. આદુનો રસ પીધા પછી અડધી કલાક સુધી પાણી ન પીવું. સુખી ઉધરસ તુરંત મટી જશે. 

કાળા મરી અને મધ 

કાળા મરી અને મધનું કોમ્બિનેશન પણ શરદી અને ઉધરસનો દુશ્મન છે. તેના માટે ચારથી પાંચ કાળા મરીના દાણાને વાટી અને પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં થોડું મધ મિક્સ કરી મિશ્રણને ચાટી જવું. દિવસમાં બે થી ત્રણ વખત આ મિશ્રણ ચાટી લેશો તો ડ્રાય કફથી મુક્તિ મળી જશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles