fbpx
Friday, September 20, 2024

આદુનો રસ ચોમાસામાં અમૃત સમાન છે, ઘણા મોસમી રોગોથી આપશે રાહત

આયુર્વેદમાં આદુને ઔષધીય ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે.

ભારતીય ઘરોમાં આદુનો ઉપયોગ મોટાભાગે થાય છે. આદુનો ઉપયોગ ક્યારેક ચામાં અને ક્યારેક રસોઈ બનાવતી વખતે મસાલામાં થાય છે. જ્યારે આદુ ચા અને ભોજનને એક અલગ સ્વાદ આપે છે, તો આદુ ઘણા ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં આદુનું સેવન કરવાના ઘણા ફાયદા છે.

શિયાળામાં આદુનું સેવન અસરકારક છે. પરંતુ આદુના સેવનથી ચોમાસામાં પણ ઘણી બીમારીઓથી બચી શકાય છે. ચોમાસા દરમિયાન થતી ડેન્ગ્યુ, મેલેરિયા, ચામડીના રોગો, ગળામાં દુખાવો, શરદી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે આદુનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

આદુના સેવનથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. આદુ પાચનતંત્ર સારૂં થાય છે. કાચા આદુનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગની સમસ્યામાંથી રાહત મળે છે. તેનું સેવન કરવાથી ગેસ જેવી સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. સાથોસાથ આદુ શુગરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

આદુમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. આ તમામ ગુણો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં ખાંસી અને શરદી માટે આદુ ફાયદાકારક છે અને તે કેન્સરના કોષોને નષ્ટ કરવામાં સક્ષમ છે. આદુનું સેવન લોહીને પાતળું કરે છે, જે હૃદય માટે પણ ફાયદાકારક છે.

જેમ આદુનું સેવન ઘણી રીતે ફાયદાકારક છે, તેમ આદુના તેલના પણ પોતાના ફાયદા છે. સાંધાના દુખાવાના દર્દીઓ માટે આ તેલ ખૂબ જ અસરકારક છે. વર્ષાઋતુ અને શિયાળામાં સાંધાનો દુખાવો ઘણી વખત વધી જાય છે. આવી સ્થિતિમાં આદુના તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles