fbpx
Friday, October 18, 2024

શ્રાવણ મહિનામાં શિવને પ્રિય બીલીનો છોડ લગાવો, વાસ્તુ દોષ દૂર થશે

શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શ્રાવણ માસ હિન્દુઓનો પવિત્ર તહેવાર છે. શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવજીની આરાધના કરે છે. શ્રાવણમાં શિવજીની આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણમાં અનેક પ્રકારની સમસ્યાઓનું પણ નિવારણ થાય છે. શ્રાવણ માસમાં ઘરનું વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરી શકાય અથવા તો ઘરનું વાસ્તુ શુદ્ધ કેવી રીતે કરી શકાય જાણો.

જો તમે શિવશક્તિના આશીર્વાદ પ્રદાન કરવા માગતા હોવ તો શ્રાવણ માસની અંદર બીલીપત્રનું ઝાડ પોતાના ઘરમાં ઉગાડવું જોઈએ. અથવા એક કુંડામાં બીલીપત્રનું ઝાડ ઉગાડી તેની સેવા પૂજા કરવી જોઈએ. જેનાથી શિવજી પ્રસન્ન થાય છે અને ગ્રહો અને નક્ષત્રને તમારા ઉપર આશીર્વાદ રૂપ બનાવે છે.

ઘરના ઈશાન ખૂણાને એટલે કે, ઉત્તર પશ્ચિમ દિશાના ખૂણાને ભૂરા રંગથી શણગારવો જોઈએ. આ ખૂણામાં તાંબાના લોટામાં પાણી ભરીને મુકવો જોઈએ અને સાથે એમાં બીલીપત્ર પણ મૂકવા જોઈએ. જેનાથી તમારા જીવનની અંદર જેમ પાણી વહેતું રહે છે તેમ તમારા જીવનનો પ્રેમ પણ વહેતો રહે છે.

તદુપરાંત શિવ શક્તિને કપૂર ખૂબ જ પસંદ છે. તો દરરોજ તમારે હાથમાં કપૂર રાખીને બોલવું કે, આ ઘરના વાસ્તુ દેવતા આ ઘર માટે આશીર્વાદરૂપ છે. આ ઘર શિવ શક્તિના આશીર્વાદથી ભરપૂર છે.

આ વાક્ય 11 વખત બોલી અને કપૂરને પ્રજ્વલિત કરવું જોઈએ, જેનાથી શિવ શક્તિના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહેશે. સાથે સાથે તમે ભક્તિમય બનશો તથા આર્થિક વૃદ્ધિમાં વધારો થશે, સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારજનોમાં સુમેળ ભર્યા સંબંધો જ રહેશે, રિલેશનશિપમાં પણ સફળતા પ્રાપ્ત થશે અને જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles