fbpx
Saturday, October 12, 2024

આયર્ન અને ફાઈબરથી ભરપૂર આ લીલી શાકભાજી કોલેસ્ટ્રોલને રાખશે નિયંત્રણમાં

ગિલોડાને સ્વાસ્થ્યનો ખજાનો ગણવામાં આવે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર, ડાયાબિટીસ નિયંત્રણ અને વધતું વજન ઘટાડી શકાય છે.

આયર્નથી ભરપૂર ગિલોડા થાકને દૂર કરવામાં મદદ કરે છે. આયર્નની ઉણપ થાકનું સૌથી મોટું કારણ છે. તેથી, થાક અને આયર્નની ઉણપને દૂર કરવા માટે આહારમાં ગિલોડાનો સમાવેશ કરવો જોઈએ.

ઘણા અભ્યાસોમાં એ જાણવા મળ્યું છે કે, જો ડાયાબિટીસની દવા લેવા ઉપરાંત દરરોજ 50 ગ્રામ ગિલોડા ખાવામાં આવે તો બ્લડ સુગર લેવલ ઘણું ઘટાડી શકાય છે.

ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર ગિલોડા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગિલોડાના સેવનથી પેટ સંબંધિત રોગો જેવા કે ગેસ, કબજિયાતથી પણ છુટકારો મળે છે.

ગિલોડા ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે. ગિલોડા ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.  સાથોસાથ તે હૃદય રોગનો ખતરો ઓછો થાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે ગિલોડાનું નિયમિત સેવન કરવું જરૂરી છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ ગ્રામીણ શાકભાજી માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ કબજિયાત, અસ્થમા, કોલેસ્ટ્રોલની સમસ્યાને રોકવામાં પણ અસરકારક છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles