fbpx
Friday, October 11, 2024

આર્થિક તંગીથી બચવા બુધવારે કરો આ ઉપાય, ભગવાન ગણેશની વિશેષ કૃપા રહેશે

હિન્દુ શાસ્ત્રોમાં, અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેમજ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે.

હિંદુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જો કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ભગવાન ગણેશની પૂજા અને તેમના નામથી શરૂ કરવામાં આવે તો તે તમામ કાર્યો કોઈપણ વિધ્ન વગર પૂર્ણ થાય છે.

એવું માનવામાં આવે છે કે, માત્ર ભગવાન ગણેશના નામનો જાપ કરવાથી વ્યક્તિના કામમાં આવતી બાધાઓ દૂર થઈ જાય છે. સફળતાના માર્ગો ખુલે છે. બુધવારે વ્રત રાખવું પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે લેવામાં આવેલા કેટલાક ઉપાયો તમારી પૈસાની સમસ્યા દૂર કરે છે.

બુધવારે જરૂર કરો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી અને કેટલાક ઉપાયો વગેરે કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. ભગવાન ગણેશના નામનો જપ કરવાથી ભક્તોને તેમના કાર્યમાં સફળતા મળે છે. ગણેશની પૂજા દરમિયાન તેમને દુર્વા (એક પ્રકારનું ઘાસ) અર્પણ કરવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી અને કેટલાક ઉપાયો વગેરે કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. ભગવાન ગણેશના નામનો જપ કરવાથી ભક્તોને તેમના કાર્યમાં સફળતા મળે છે. ગણેશની પૂજા દરમિયાન તેમને દુર્વા અર્પણ કરવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે.

જો તમે તમારી નોકરીમાં લાંબા સમયથી નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય બગડી રહ્યું છે, તો બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો. આમ કરવાથી તમારા અટકેલું કાર્ય પાર પડશે.

આ સિવાય બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને તેમના પર તિલક અથવા સિંદૂર લગાવો. આ પછી, તેમના કપાળ પરથી તિલક લો અને તેને તમારા કપાળ પર લગાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનાથી ભગવાન ગણેશની કૃપા જળવાઈ રહે છે. સાથે જ જો તમે તિલક લગાવીને કોઈ કામ માટે જશો તો તેમાં તમને સફળતા મળશે.

કુંડળીમાં બુધ દોષ હોય તો વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બુધ દોષથી મુક્તિ મેળવવા માટે વિધિ-વિધાન પ્રમાણે લક્ષ્‍મી અને બુધ દેવની સાથે ભગવાન ગણેશની પૂજા કરો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે પૂજા કર્યા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. તેનાથી દેવી લક્ષ્‍મીનો પ્રવેશ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles