fbpx
Thursday, October 10, 2024

જો આ બાબતોની અવગણના કરવામાં આવે તો ભવિષ્યમાં આર્થિક નુકસાન થવાની સંભાવના વધી જશે

શાસ્ત્રોમાં શુભ અને અશુભ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે વ્યક્તિ ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ વિશે અગાઉથી માહિતી મળતી હોય છે. પરંતુ આ સંકેતોને સમયસર સમજવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે આપણને સારો કે ખરાબ સમય આવતા પહેલા ચેતવે છે. પરંતુ માહિતીના અભાવે અમે આ ઘટનાઓને સમજી શકતા નથી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના હાથમાં પૈસા આવતા પહેલા જ અનેક પ્રકારના સંકેતો જોવા મળે છે. માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશતા પહેલા અનેક પ્રકારના સંકેતો આપે છે. તે જ સમયે, વ્યક્તિને આર્થિક નુકસાન અથવા દેવી લક્ષ્મીના ઘર છોડતા પહેલા પણ ઘણા પ્રકારના સંકેતો મળે છે. આ સંકેતો વ્યક્તિને તેના જીવનમાં આવનારી સમસ્યાઓ, મુશ્કેલીઓ, ગરીબી વગેરે વિશે અગાઉથી જણાવી દે છે. આજે આપણે એવા જ કેટલાક સંકેતો વિશે જાણીશું, જે દેવી લક્ષ્મીના નરાજગી દર્શાવે છે.

માતા લક્ષ્મીના નારાજ થવા પર મળે છે આ સંકેતો

ઘરેણાંનું પડવું કે ચોરી થવું

શાસ્ત્રોમાં સોના-ચાંદીને ખૂબ શુભ માનવામાં આવે છે. ત્યારે જો તમારા ઘરેણાં ચોરી થઇ જાય છે અથવા ખોવાઇ જાય છે તો તે માતા લક્ષ્મી નારાજ થવા અંગે ઇશારો કરે છે. માટે તમે તમારા સામાનની સુરક્ષા વધારી દો અને માં લક્ષ્મીને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં આવનાર મુશ્કેલીને ટાળી દે.

ઘરમાં નળનું ટપકવું

વાસ્તુમાં નળના ટપકવાને અશુભ માનવામાં આવે ચે. કહેવાય છે કે જો આવું થાય છે તો તેનાથી તમને ધન હાનિ થઇ શકે છે. ત્યારે જો તમારા ઘરમાં રસોડામાં કે બાથરુમમાં પાણીની ટાંકીમાંથી પાણી ટપકતું હોય તો તેને સમયસર રિપેર કરાવી લેવામાં ભલાઈ છે. પરંતુ જો તમે તેને નજરઅંદાજ કરો છો તમને ધીમે-ધીમે ધન હાનિ તરફ લઇ જશે.

મની પ્લાન્ટનું સુકાઈ જવું

જો તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો છે અને તે કોઈ કારણ વગર વારંવાર સુકાઈ રહ્યો છે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈની સાથે આવું થાય છે તો તે દેવી લક્ષ્મીના નારાજ થવાની નિશાની છે. મની પ્લાન્ટ ધન આકર્ષે છે. આવી સ્થિતિમાં મની પ્લાન્ટ સુકાઈ જવાથી ભવિષ્યમાં આર્થિક નુકસાન થાય છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોને લઇને સતર્ક રહેવું જોઇએ.

દૂધનું વારંવાર ઢોળવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૂધને માતા લક્ષ્મી સાથે સંબંધ હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે જો દૂધ અને દૂધમાંથી બનેલી મીઠાઈઓ દેવી લક્ષ્મીને ચઢાવવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આવું કરવું પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરમાં વારંવાર દૂધ ઢોળવું શુભ માનવામાં આવતું નથી. માટે સાવધાન રાખવી જોઇએ અને દેવી લક્ષ્મીની માફી માંગવી જોઇએ. આ સાથે શુક્રવારે ધનની દેવીની પૂજા કરો અને તેમની પાસેથી ક્ષમા માગો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles