fbpx
Monday, September 23, 2024

આજે છે પરિવર્તિની એકાદશી, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

સનાતન ધર્મના લોકોમાં પરિવર્તિની એકાદશીનું ખાસ મહત્વ છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પરિવર્તિની એકાદશી કહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત કરવાનો મહિમા છે. આ શુભ દિવસે તમે કેટલાક ઉપાયો કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો, જેની કૃપાથી જીવનમાં સુખ-શાંતિ અને ધનનો વાસ થાય છે. ચાલો જાણીએ પરિવર્તિની એકાદશીના દિવસે કયા ઉપાય કરવાથી લાભ થશે.

વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અગિયારસ તિથિનો આરંભ 13 સપ્ટેમ્બર, 2024ના રોજ મોડી રાત્રે 10:30 વાગ્યે થયો છે. જેનું સમાપન 14 સપ્ટેમ્બરે રાત્રે 08:41 વાગ્યે થશે. આમ ઉદયાતિથિને આધારે પરિવર્તિની એકાદશીનું વ્રત 14 સપ્ટેમ્બરે એટલે કે આજે રાખવામાં આવશે.

વિષ્ણુજીની પૂજાનું શુભ મુહૂર્ત

પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું અભિજીત મુહૂર્ત સવારે 11:52 વાગ્યાથી લઈને બપોરે 12:41 વાગ્યા સુધી છે. આ દિવસે દેવી-દેવતાઓની પૂજા માટે વિજય મુહૂર્ત પણ શુભ છે. વિજય મુહૂર્ત બપોરે 02:20 વાગ્યાથી લઈને 03:09 વાગ્યા સુધી છે. તેમજ વ્રતના પારણાનો સમય 15 સપ્ટેમ્બર, 2024એ વહેલી સવારે 06:06 વાગ્યાથી લઈને સવારે 08:34 વાગ્યા સુધી છે.

પરિવર્તિની એકાદશીના દિવસે કરો આ ઉપાય

પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતાં પહેલાં તેમની સમક્ષ ચાંદીના કેટલાક સિક્કા મૂકો. પૂજા સમાપ્ત થયા બાદ આ સિક્કા લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમારા ઘરે ધનનું આગમન થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે.

પરિવર્તિની એકાદશીના શુભ દિવસે પીપળાની વિધિવત પૂજા કરો. પીપળાના વૃક્ષને ખાંડવાળું પાણી ચઢાવો. સાથે જ વૃક્ષ પાસે દીપક પ્રગટાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો સાચા મનથી આ ઉપાય કરવામાં આવે તો પૈસાની કમીથી છુટકારો મેળવી શકાય છે અને ખરાબ સ્વાસ્થ્ય સુધરે છે.

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પરિવર્તિની એકાદશીના દિવસે જરૂરિયાતમંદોને તેલ, તલથી બનેલી વાનગીઓ, ધન અને અન્નનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા માથે રહેલું દેવું દૂર થઈ જશે. તેમજ તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે.

પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિને દૂધ અને કેસરના મિશ્રણથી અભિષેક કરવો જોઈએ. જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, તેઓ પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલોથી બનેલી માળા અને પીળી મીઠાઈ અર્પણ કરે, તો તેમને જલદી જ સારા સમાચાર મળી શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles