fbpx
Thursday, October 3, 2024

નવરાત્રિમાં આ મંત્રોના જાપ કરવાથી મળે છે શીઘ્ર શ્રેષ્ઠ ફળ

નવરાત્રિ એટલે માં દેવી શક્તિ અંબિકા જગદંબા દુર્ગા ચામુંડા, જેવા અનેક નામોથી આપણે જેને પૂછીએ છે તે માં જગત જનનીની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ અવસર. શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર, 2024ને ગુરુવારથી શરૂ થશે અને 11 ઓક્ટોબરના રોજ નવરાત્રિના નવ નોરતાં પૂરા થશે. તારીખ 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ દશેરા ઉજવવામાં આવશે.

જેના દ્વારા જાપ કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે. દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવરાત્રિ ઉપાસના દરમિયાન સંકલ્પ કરી આ દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે અને સંકલ્પ અનુસારની મનોકામનાઓ સિદ્ધ થાય છે. ઉપાસના શરૂ કરવા તેમજ નવરાત્રિ ઘટ સ્થાપના કરવા માટેના શુભ મૂહર્ત 3 ઓક્ટોબર, 2024ને ગુરુવારથી શરૂ થશે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો ઉત્સવ નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચામુંડા ચંડિકા જેવા અનેક નામોથી જેને પૂજીએ છીએ, તેવી દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો આ સુવર્ણ અવસર ગણાય નવરાત્રિ ઉપાસના તરત ફળ આપે છે.

દેવી ભાગવતમાં જણાવેલ અહીં આપેલ અનુભવ સિદ્ધ કોઈપણ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરાય તો જે કરે તેનું નિર્બળ ભાગ્ય બળવાન બને છે, તેમનું આપત્તિઓ સામે રક્ષણ થાય છે તમામ રીતે કલ્યાણ થાય છે.

નવરાત્રિ વ્રતથી થાય છે અનેક લાભ

પ્રાચીન કાળથી દેવી ભાગવતમાં જણાવેલ આ મહાન મંત્રોના ઉપયોગથીમાં શક્તિને પ્રસન્ન કરવામાં આવે છે. દેવી ભાગવતમાં તો કહ્યું છે કે પૃથ્વી પર જેટલા વ્રતો છે, તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નવરાત્રિ પૂજનથી ધન-ધાન્ય, સંપતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય આરોગ્ય રક્ષણ સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા સુખ સંપત્તિ સૌભાગ્ય વગેરે લાભ થાય છે.

રામાયણ યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિ વ્રત કરેલ અને માતાજીના આશીર્વાદ લીધા હતા, તેથી જ તેમના હાથે જ દશેરાએ રાવણનો વધ થયેલ આમ પોતાનું શુભ ઈચ્છનારા સર્વ લોકોએ નવરાત્રિમાં શક્તિની આરાધના કરવી જોઈએ. દેવી ભાગવતમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા ખુબજ દુર્લભ જણાવેલ છે, જેના મંત્ર અને યંત્ર સાધના પ્રયોગો નવરાત્રિમાં શીઘ્ર ફળ આપે છે.

શક્તિ બીજ મંત્ર પ્રયોગ

ઐં. હ્રીં કલીં

દેવી ભાગવત અનુસાર અનેક વખતે અનેક દેવોએ અનેક ઋષિઓ એ તથા તપસ્વી ઓ એ સંકટ સમયે કેવળ આ મહાશક્તિશાળી આ ત્રણ એકાક્ષર બીજ મંત્રનું નવરાત્રિ અનુષ્ઠાન કરી સતત જાપ કરી માતાજીને પ્રસન્ન કરેલ હતા.

ઐં (વાગબીજ)

હ્રીં ( માયાબીજ)

કલીં (કામરાજ બીજ) છે

જે અનેક મંત્રોને શક્તિથી ભરી દે તેવા છે. માટે નવરાત્રિ દરમિયાન માતાજીનું ધ્યાન કરી નિત્ય પૂજન કરી કોઈ પણ કાર્ય માટેનો સંકલ્પ કરી. ઐં. હ્રીં કલીં કોઈ પણ એકબીજ મંત્રનો સંકલ્પ લો. જો જ્ઞાન બુદ્ધિની કામના હોય તો માતા સરસ્વતી નો ઐં. બીજ મંત્ર ધન સમૃદ્ધિ એશ્વર્યાની કામના હોય તો માતા લક્ષ્‍મી નો હ્રીં બીજ મંત્ર અને શક્તિ સાહસ અને રક્ષણ ની કામનાં હોય તો માતા કાલી નો કલીં બીજ મંત્ર જાણી સંકલ્પ લો. માળા નિયમિત કરવી અને દિવસ રાત્રિ સતત મનોમન જાપ કરતા રહેવું તો અવશ્ય તે કાર્ય ઈચ્છા કે મનોકામના સિદ્ધ થાય છે.

શક્તિ મહામંત્ર પ્રયોગ

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે

શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણી નમો નમઃ સ્તુતે

આ મંત્ર અંગે કહેવાય છે કે નવરાત્રિમાં કોઈપણ કાર્ય હેતુ સંકલ્પ કરી આ મહામંત્રની ત્રણ માળા કરી પોતાના જે કોઈપણ મંગલ કાર્યની કામના માતાજી સમક્ષ કરવામાં આવે તે અવશ્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને મંગલ કામના પૂર્ણ થાય છે.

જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની

દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે

કોઈપણ આપત્તિ સામે રક્ષણ હેતુની કામના કરવા નવરાત્રિ નિત્ય પૂજન કરી, આ મંત્રની રોજ ત્રણ માળા કરાય અને દિવસ રાત તેનું મનમાં જાપ રહે તો, ગમે તેવી ભયંકર આપત્તિ સામે માતાજી તેનું રક્ષણ કરે છે અને કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકતું નથી. ગજબ નું સાહસ પ્રાપ્ત થાય છે અને અનેક મનોરથ પૂરા કરે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles