fbpx
Monday, October 14, 2024

ધનતેરસ પર સોના-ચાંદીની સાથે ખરીદો આ વસ્તુ, માતા લક્ષ્મીની કૃપા રહેશે

દિવાળી પહેલાં ધનતેરસનો મહાપર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેર દેવતાની પૂજા થાય છે. આ ઉપરાંત આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજાનું પણ ધાર્મિક વિધાન છે, જેનાથી આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. ધનતેરસ પર માતા લક્ષ્મી અને કુબેરની પૂજાની સાથે-સાથે ખરીદીનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સોનું-ચાંદી ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે, એવી લોક માન્યતા છે.

દર વર્ષે આસો વદની તેરસની તિથિએ ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ પર્વના બીજા દિવસે દિવાળી ઉજવવામાં આવે છે.

સોના-ચાંદી ઉપરાંત પણ કેટલીક વસ્તુઓ છે, જે જો તમે ધનતેરસ પર ખરીદો છો. જ્યોતિષાચાર્ય સ્વામી કન્હૈયા મહારાજે જણાવ્યું કે, ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું પણ ખૂબ શુભ હોય છે. આ દિવસે બજારમાંથી ખરીદી કરીને ઘરમાં નવું ઝાડુ જરૂર લાવવું જોઈએ. ઝાડુને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેને ક્યારેય પણ ભૂલથી પગ નહીં અડાડવો જોઈએ. જો ઝાડુ પર પગ લાગી જાય, તો તેના માટે તરત જ માતા લક્ષ્મી પાસે માફી માંગવી જોઈએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદીને ઘરે લાવો છો, તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને આખું વર્ષ તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે.

ધનતેરસ પર આ વખતે પૂજા માટે 1 કલાક 55 મિનિટનો સમય સૌથી શુભ છે. આ મુહૂર્ત 29 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યા અને 30 મિનિટથી શરૂ થશે, જે રાત્રે 8 વાગ્યા અને 15 મિનિટ સુધી રહેશે. આ સમયે પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા ભક્તો પર વરસશે.

ધનતેરસ માટે તમે કોઈપણ શુભ કામ કરી શકો છો. પછી ભલે કોઈ રોકાણ કરવાનું હોય કે કોઈ નવું ઘર ખરીદવાનું હોય, ધનતેરસનો દિવસ શ્રેષ્ઠ હોય છે.   

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles