fbpx
Wednesday, October 16, 2024

જાણો શું છે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવાનું મહત્વ

શરદ પૂનમના આ દિવસે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવાની પરંપરા છે. બીજા દિવસે સવારે સ્નાન કરીને તે ખીર ગ્રહણ કરવાથી બધા પ્રકારના કષ્ટો દૂર થાય છે.

વર્ષમાં કુલ 12 પૂનમના વ્રત રાખવામાં આવે છે. પૂનમની તિથિ ખૂબ જ ખાસ હોય છે. કારણ કે, આ દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકાય છે. બધી પૂનમોમાં આસો માસની પૂનમ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે, આ પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે.

શરદ પૂનમના દિવસે ચાંદની રાતમાં ખીર બનાવીને રાખવામાં આવે છે. આ ખીરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. ત્યારે જાણીએ કે, ચાંદની રાતમાં ખીર, આખરે કેમ રાખવામાં આવે છે અને શું મહત્વ છે.

આસો માસની શુક્લ પક્ષની પૂનમની તિથિને શરદ પૂનમ કહેવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમનું વ્રત 16 ઓક્ટોબરે રાખવામાં આવશે.

શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને આ દિવસે ચંદ્રમા તેની 16 કળાઓમાં વિદ્યમાન રહે છે અને ચંદ્રમાંથી ઔષધિય ગુણોની વર્ષા થાય છે. તેથી આ દિવસે ચંદ્રમા નીચે ખીર રાખવામાં આવે છે. આ વર્ષે રાત્રે 8 વાગીને 43 મિનિટે ચંદ્રોદય થવાનો છે. તે પછી જ ખીર ખુલ્લા આકાશ નીચે રાખવી. શક્ય હોય તો રાત્રે 11 વાગ્યા પછી ખીર રાખવી સૌથી શુભ માનવામાં આવે છે.

શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર વાસ કરે છે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાન સાથે માતા લક્ષ્મીની પૂજા-આરાધના કરવી જોઈએ. શરદપૂનમના દિવસે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય છે. આનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.

શરદ પૂનમના દિવસે ચંદ્રોદય થયા પછી ગાયના દૂધથી બનાવેલી ખીર ઘરના આંગણામાં અવશ્ય રાખવી જોઈએ. કારણ કે આ દિવસે ચંદ્રમા તેની 16 કળાઓમાં પૂર્ણપણે વિદ્યમાન રહે છે. આ દિવસે ચંદ્રમાથી અમૃત અને ઔષધીય વર્ષા થાય છે. તે અમૃત વર્ષાનું બિંદુ ખીરમાં પડવાથી ખીર અમૃત બની જાય છે અને તેનું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગો દૂર થાય છે. જાતકના જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

શરદ પૂનમના દિવસે જો તમે ખીર બનાવીને ઘરના આંગણામાં રાખો છો અને બીજા દિવસે સવારે સ્નાન કરીને તે ખીરનું સેવન કરો છો, તો માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને સાથે જ કુંડળીમાંથી ચંદ્રદોષ પણ દૂર થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles